SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ 118 – ૧૯ : મુનિની દયા : દ્રવ્યદયા અને ભાવદયા - 66 - ૨૭૩ સભા પણ સાહેબ ! મર્યાદા સાચવવામાં લોકગણ વિરુદ્ધ હોય તેનું શું? લોકવિરુદ્ધ તથા લોકવિરોધનો ભેદ અત્રે સમજાવાઈ ગયેલ છે. એ ઉપર ઘણું જ કહેવાયું છે. લોકવિરુદ્ધ વર્તન એ અયોગ્ય, પણ સારી પ્રવૃત્તિ કરતાંય લોકવિરોધથી ડરવું એ તો મૂર્ખાઈ જ છે. લોકવિરુદ્ધ વર્તન ન થાય તેની કાળજી પૂરેપૂરી રાખીએ, પણ જો વાતવાતમાં લોકના વિરોધથી મૂંઝાઈએ તો માર જ ખાઈએ. લોકવિરુદ્ધનો અને લોકવિરોધનો ભેદ સમજી લોકવિરુદ્ધ કાર્યોથી બચીએ, પણ અજ્ઞાન લોકના વિરોધથી, એટલે કે એવાઓના અજ્ઞાનતાભર્યા ધર્મવિરોધથી તો ન જ ડરીએ. સભા: આપણે વરઘોડો કાઢવો હોય અને મુસલમાનો ના કહે તો એ લોકવિરુદ્ધ ગણીને ન કાઢીએ એ બને, પણ આવા ઘરના જ વિરોધીઓને સમજાવવા કેમ? એવાઓને પણ સમજાવવાનો એક જ રસ્તો છે કે આપણે આપણી શભ ક્રિયાઓને એવા વેગથી વધારવી, કે જેથી તેઓમાં રહેલું ઝેર નીકળી જાય. અગર તો પછી તેઓ અકિંચિકર બની જાય. સમાધાન ક્યારે થાય ? સભા: “પણ સાહેબ ! એ લોકોએ બેશરમપણે તોફાન કરવા માંડ્યું છે, માટે હવે સમાધાન થાય તો સારું.” આ વસ્તુ આપણે અનેક વાર વિવિધ દષ્ટિબિન્દુએ વિચારી ગયા છીએ. સમાધાન, શાંતિ, એકતા, પરસ્પર મંત્રી અને ધર્મસહકાર, - એ વગેરે એવી વસ્તુઓ જ છે કે જેની હરહંમેશ ધર્મી માત્રને ચાહના હોય. ક્લેશ, કંકાસ, વિરોધ, ધમાલ, વગેરે કોને પસંદ હોય? હું તો ફરી ફરીને કહું છું કે આપણે આત્મશાંતિના અર્થ છીએ? આપણે જીવનને સાત્વિકતાથી ભર્યું બનાવવું છે : આપણને વ્યક્તિવેષ નથી પરંતુ આજની ધમાલો જુદા જ પ્રકારની છે. જેઓ શાંતિ ને સમાધાન ઇચ્છતા હોય, તેઓ કદી જ શાંતિ ને સમાધાનને નામે પ્રતિવ્યક્તિની પ્રતિષ્ઠા સામે કાદવ ન ઉડાડે. પરંતુ જેઓ આ અશાંતિ ને અસમાધાનનાં મૂળિયાં છે, તેઓ પોતાની તે વિકૃત હાલતને, આ શાંતિની ને સમાધાનની સફેદ ચાદર નીચે છુપાવવા મથી રહ્યા છે. તમે જ કહોને કે આજે સાધુઓમાં શા માટે આ દશા છે ? નથી છોકરા-છોકરી પરણાવવાનાં, નથી પૈસા કમાવાના, કે નથી લક્ષ્મીના વારસા લેવાના : નથી વ્યાપાર-રોજગાર કે નથી કોઈ પણ જાતની લેવડ-દેવડનો સંબંધ ! ત્યારે અત્યારે જેને અશાંતિ, અસમાધાન, વિરોધ કે ક્લેશ કહેવામાં આવે છે એની જડ કઈ? કોઈ પણ સુશ વિચારક કબૂલશે કે “આનો હેતુ જુદો જ હોવો જોઈએ. જો હેતુ જુદો ન હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy