________________
૨૭૨
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
1012
શ્રી જિનેશ્વરદેવના ધર્મની પ્રાપ્તિવાળું દસપણું અને દરિદ્રપણું પણ આત્માને સદ્ગતિમાં લઈ જનારું છે. હું સંગરહિત, જીર્ણ વસ્ત્રોનો ધરનાર, મેલથી વ્યાપ્ત શરીરવાળો અને માધુકરી વૃત્તિને ભજનાર થઈને, મુનિચર્યાનો આશ્રય કયારે કરીશ? દુઃશીલો એટલે ખરાબ આચારવાળાઓ, તેઓના સંગને તજતો અને સદ્ગરની ચરણરજને સ્પર્શ કરતો હું યોગનો અભ્યાસ કરીને આ ભવનો છેદ કરવા માટે શક્તિમાન કયારે થઈશ ?' હું મહાનિશામાં નગરની બહાર કાયોત્સર્ગ કરીને રહ્યો હોઈશ અને તે વખતે બળદો જેમ સ્તંભની સાથે પોતાના સ્કંધનું ઘર્ષણ કરે છે, તેવી રીતે મારા શરીરે ઘર્ષણ કયારે કરશે?” અર્થાતુ ‘બળદો મને જ સ્તંભ માનીને મારા શરીરે ઘર્ષણ કરશે તે છતાં પણ હું મારા ધ્યાનમાંથી ચલાયમાન નહિ થાઉં એવી દશા મારી કયારે આવશે ?” હું પવાસન લગાવીને બેઠો હોઈશ અને જે વખતે હરણિયાનાં બચ્ચાં આવીને મારા ખોળામાં બેઠાં હશે, તે વખતે હરણિયાનાં ટોળાનાં ઘરડાં રક્ષક મૃગો આવીને મારા મુખને સુંઘશે, એવી દશા મારી કયારે આવશે? હું શત્રુ ઉપર અને મિત્ર ઉપર, તૃણ ઉપર અને સ્ત્રીઓના સમૂહ ઉપર, સોના ઉપર અને પથ્થર ઉપર, મણિ ઉપર અને માટી ઉપર, તેમજ મોક્ષ ઉપર અને સંસાર ઉપર નિર્વિશેષ બુદ્ધિવાળો એટલે સમાન બુદ્ધિવાળો
ક્યારે થઈ શકીશ?” “પરમ આનંદરૂ૫ લતાના કંદસમા મનોરથોને શ્રાવક, મોક્ષરૂપ મહેલની નિસરણી સમી ગુણશ્રેણી ઉપર ચડવા માટે, દરરોજ સવારના નિદ્રાના
છેદની સાથે જ મનોરથો કરે.'
આવા પ્રકારના મનોરથોને કરનાર શ્રાવકો, મુક્તિમાર્ગ છોડી અન્ય માર્ગની વાતો કરનાર મુનિને કહી શકે છે કે “અમે રોજ આવી ભાવના ભાવીએ છીએ, તો પછી આપ વળી અમારી બીજી પંચાત કયાં માંડી બેઠા છો ?” માનો કે કદાચ સાધુઓ તમને પોતાના બનાવવા ભૂલે, પણ શ્રાવકોએ તેમને રોકવા જ જોઈએ: પણ જ્યાં શ્રાવક ગણાતાઓની જ ઇચ્છા જુદી હોય ત્યાં શું થાય ? મહારાજ વાંચે એમાંથી અર્થ-કામનો કોઈ નુસ્મો મળી જાય તો ફાવ્યા, એ જ જેઓને ગમતું હોય તેઓનું શું થાય? આથી જ કહેવું પડે છે કે જ્ઞાનીઓએ સિદ્ધ કરેલી નિશ્ચિત કરેલી મર્યાદાને બરાબર વળગી રહેવાય તો જ સાચો ઉદય થાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org