________________
755 - -- ૨ : સાચી સ્વતંત્રતાનો સાચો માર્ગ - 52 -- - ૧૫
એ પણ ખાતાવહી, પેઢી, ચોપડામાંથી પરવારે ક્યાંથી ? ક્રમ બધો ગોઠવાયેલો જ : બાલ્યકાળમાં રમે, પછી વ્યવહારુ શિક્ષણ લે, પછી ઘર માંડવાનું, પછી ઘર ચલાવવાનું, પછી પુત્રાદિ પરિવારને પંપાળવાનું અને છેવટે લાળ પાડી મરી જવાનું ! આ સ્થિતિમાં ધર્મને અને આગમને કોણ પૂછે? આ વસ્તુ જીવનને જરૂરી મનાય તો ને ? કંઈ ન સમજે તેને આ વસ્તુ લાભ કઈ રીતે કરે ? વિદ્યાર્થી પણ એ બુદ્ધિથી નિશાળે જાય કે “ભણીશ તો મારો વ્યવહાર નભશે :” અને તો જ તે શિક્ષક ઠપકો આપે કે મારે તો પણ સહે. સમજે કે એ અમારા ભલા માટે છે. એવી રીતે અહીં પણ થોડા સંસ્કાર તો જોઈએ ને ? અને એવા સંસ્કારો આત્મા તથા જડના સ્વરૂપને સમજે તો જ આવે ને ?
કર્મ વીણીને આઘાં કરાય કે કાપીને આઘાં મુકાય તેમ નથી, માટે સ્વયમેવ કર્મોને ઊંચા-નીચાં થવું પડે તેવી કાર્યવાહીની જરૂર છે. એની મેળે જ એમાં નાસભાગ થાય તેવા પ્રયત્નની જરૂર છે. એ માટે આત્માએ પોતાને વળગેલી ચીકાશને લુખ્ખી બનાવવી પડશે, કે જેથી કર્મપુલ ચોંટી શકે નહિ. કોરા પર કચરો ચોંટે ? ચોંટે તો પણ નીકળી જવું પડે. આત્માને એવો લુખ્ખો બનાવવો જોઈએ કે કર્મને સ્વયમેવ બહાર નીકળવું પડે, નવું કર્મ આવી ન શકે. અને કદી આવે તો ચોંટી ન શકે : પેસી જ ન શકે અને પેસે તો બેસી ન શકે ધૂનનનો રસ્તો જ એ કે ચીકણા આત્માને લુખ્ખો કરવો. આત્માની ચીકાશ કઈ ? રાગ અને દ્વેષ ? રાગદ્વેષની પરિણતિ એ આત્માની ચીકાશ. કેવળજ્ઞાન પછી વેદનીય કર્મનો બંધ ખરો, પણ સામયિક આવે અને જાય. એટલે કે, પહેલા સમયે બંધાય, બીજા સમયે ભોગવાય અને ત્રીજા સમયે નિર્જરા થાય. ચોંટે ક્યાં ? જગ્યા હોય તો ચોંટેને ? અઘાતી કર્મ છે તે પણ સ્થિતિ પૂરી કરવા પૂરતાં ! આયુષ્ય કરતાં બાકીનાં કર્મોની સ્થિતિ અધિક હોય તો કેવળજ્ઞાની મહર્ષિ કેવળી સમુદ્ધાત દ્વારા એને સમાન સ્થિતિમાં મૂકી દે. કર્મના આધારે નાચવું, એ નચાવે તેમ નાચવું અને પોતાને સ્વામી કહેવું તે મૂર્ખાઈ ખરી કે નહિ?
સભા : અરૂપી આત્માને કર્મ કેમ લાગે ?
લાગે અને એને માટે દષ્ટાંત પણ છે. અરૂપી જ્ઞાન રૂપી મદિરાપાનના નશાથી અવરાય છે. ત્યાં રૂપીએ અરૂપી જ્ઞાનને જે રીતે પરાઘાત કર્યો, તે રીતે અરૂપી આત્માને પણ રાગદ્વેષના યોગે રૂપી કર્મો ચોંટી શકે છે. કર્મના સંગને લઈને એક દૃષ્ટિએ આત્માને રૂપી પણ કહેવામાં આવ્યો છે, પણ વસ્તુતઃ અરૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org