________________
૧૪
14
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - થવું જોઈએ કે “ક” ગમે તેવાં તો પણ જડ છે અને દબાયેલો છતાં હું ચેતન છું.” પોતાના ચૈતન્યનું ભાન તો જોઈએ ને ? અભિમાનની વાત તો દૂર રહી, પણ ભાન ક્યાં છે ? ચેતન તો આજે કહે છે કે “શું કરીએ, કર્મ નચાવે તેમ નાચીએ !” – આવું આજે ડાહ્યા ગણાતા, વિદ્વાન ગણાતા, આગળ પડતો ભાગ લેનારા પણ બોલે છે !
સભા : દુનિયાના ડાહ્યા ગણાતા, શાસનના નહિ!
વાત તો એવી જ છે, પણ આજે દુનિયા તથા શાસનને અજ્ઞાનીઓએ ભેળસેળ કરી નાંખ્યું છે ! આથી જ કહેવું પડે છે કે દુનિયાની સાથે શાસનને ભેળસેળ ન કરો ! અલગ હશે તો દુનિયાના અહીં આવશે. આજે તો શાસનના ત્યાં તણાય છે. જે વસ્તુની જેટલી મહત્તા જોઈએ, તેટલી મહત્તા આજે આપણા મનમાં રહી નથી. બાકી વસ્તુમાં તો બધું જ છે. મુદ્દો એ છે કે ભાવધૂનન ઘણું કઠિન છે. કર્મધૂનન કરવું હોય તો આત્માને લુખો બનાવો !
કર્મ જડ અને આત્મા ચેતન છે, એ બે જુદા છે અને એ બેના સ્વભાવ જુદા છે એ સમજવું જોઈએ. આત્માએ જાણવું જોઈએ કે “કર્મના સ્વભાવને આધીન થવું તે મારો ધર્મ નથી અને એમાં મારી શોભા કે પ્રતિષ્ઠા નથી !' અનાદિથી સાથે વળગેલાં અને આત્મા ઉપર અખંડ સત્તા જમાવી બેઠેલાં કર્મ એમ ને એમ જાય ? એ કર્મે તો અનંતી શક્તિના ધણી એવા અનંતાનંત આત્માઓને એવી ભયંકર સ્થિતિમાં મૂક્યા છે કે દુનિયામાં શું થાય છે તે પણ તે જાણતા નથી. રખડે બધે : અરે એક શ્વાસોશ્વાસમાં સાડી સત્તર ભવ કરે છે. એ રખડે છે થોડું ? પણ દબાયેલા એવા કે એને કશી ગમ જ પડતી નથી. આત્મા ઉપર કર્મોએ જેવી તેવી લૂંટ નથી ચલાવી. જો કે કર્મસત્તા ઉપર લૂંટ ચલાવનારા પણ મહાપુરુષો પાક્યા છે, કે જેઓએ એના સામ્રાજ્યમાંથી સંખ્યાતીતને ખેંચ્યા છે ! પણ આ છૂટવાનું અને છોડાવવાનું ત્યારે જ બને, કે જ્યારે આત્મા કર્મથી પોતાની ભિન્નતા સમજે. જીવ-અજીવ એટલે આત્મા અને કર્મના સ્વરૂપના તાત્ત્વિક અભ્યાસ માટે આજે કેટલા મહેનત કરે છે ?
સભા મોટી ઉંમરના કરે તો કરે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org