________________
૨૭૦ –
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
- 1010
હું તો શ્રીમતી સીતાદેવીનાં કુંડલોને પણ નથી જાણતો અને કંકણોને પણ નથી જાણતો માત્ર હંમેશાં તે દેવીનાં પાદોનું વંદન કરતો હોવાથી, તે દેવીના પગમાં રહેલાં ઝાંઝરોને જ માત્ર જાણું છું.' ભાગ્યશાળીઓ ! વિચારો કે કેવી મર્યાદા ? પરમ કલ્યાણકર શિયળની અભિલાષાવાળા આત્માઓની મર્યાદા આવી હોય. શીલરક્ષક આત્મા નીચી આંખે જાય અને નીચી આંખે આવે. ક્વચિત્ નજર ફેંકાઈ જાય તો સ્વરૂપનો ખ્યાલ પણ ન રહે, એવી રીતે તરત પાછી ખેંચી લે. કુટુંબમાં પણ મર્યાદાને લીધે જ શિયળ ટકે, અન્યથા આંખ ઊંચી થાય પછી બોલવાનું શરૂ થાય, પછી શેઈકહેન્ડ થાય અને પછી પશ્ચિમના રિવાજ પ્રમાણે નવું નવું થાય. આજે બ્રહ્મચારીનાં પૂતળાં એવાં છે કે એવી ભયંકર દશામાંયે શીલસંપન્ન રહી શકે ? જે આત્માઓ જોતા ચળવિચળ થાય, વિકારી થાય, તેમની આ સંયોગોમાં દશા શી ? અનાચાર વધ્યા શાથી? બધે પોકાર તો એ જ છે કે “અનાચાર વધ્યા !” વિચારો કે “શાથી ?' કહેવું જ પડશે કે “મર્યાદા ગઈ તેથી'. મહાવ્રતધારી મુનિઓ ક્યાં વસે ? સ્ત્રી-પશુ-નપુંસક વગેરેનો વાસ ન હોય તેવા સ્થાનમાં. મુનિ માટે પણ મર્યાદા. આકસ્મિક સંયોગમાં મુનિ હસે તો બચે. એ વાત જુદી, પણ એવા સ્થાનમાં મુનિ ન રહે : તો પછી ગૃહસ્થ માટે મર્યાદા કેવી હોય ? સ્વસ્ત્રી-સંતોષ પણ કયારે સચવાય ? મર્યાદા હોય તો ! જોવાઈ જાય તો લેપાયું નહિ, પણ એ પછી જોવાની જરૂર જ શી ? પૂર્વપુરુષોમાં એ મર્યાદા હતી. કુટુંબમાં મોટા પુરુષો હોય, નાનાં વહુ વગેરે આવે જાય, પણ મોટાની નજર ન હોય : પણ આજના ઉછુંખલોને એવી મર્યાદા ગમતી નથી. પરંતુ જૈનશાસનમાં રહેવું હોય તો શાસનની સઘળી જ મર્યાદાઓ પાળવી જોઈએ. સંઘની, મુનિની, શ્રાવકની, ગૃહસ્થની, આ બધાની મર્યાદા તો સમજો ! પોતપોતાની ભૂમિકાની મર્યાદા સહુએ સાચવવી જોઈએ.
શ્રી જિનેશ્વરદેવોની પૂજા તથા નિગ્રંથ ગુરુદેવોની સેવામાં, અર્થકામની લાલસા ન આવવી જોઈએ, એ આવે તો ઘર તથા ઉપાશ્રય અને મંદિરમાં ફેર શો ? સાધુ પણ અર્થ-કામની વાત કરે તે આજના કેટલાક ગૃહસ્થોને પ્રિય થઈ પડી છે. મતલબ તેવાઓ અર્થકામના ઘણા જ રસિયા થયા છે. સર્વથા મોહ ન છૂટ્યો હોય અને તેથી એમાં રહેવું પડે એ એક વાત છે અને એ જ અર્થકામની ભયંકરતામાંથી ઉગારી લેવાના જ પ્રયત્નમાં રત એવા તારક મુનિવરો પાસેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org