________________
1009
૧૩ : મુનિની દયા ઃ દ્રવ્યદયા અને ભાવદયા - 66
મર્યાદાની મહત્તા :
સભા : શ્રાવકને ભણવાનું ખરું કે નહિ ?
રોજ ભણવું. છ મહિને અરધી ગાથા આવડે તો તેટલું પણ ભણે. ન ભણે તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય, પણ ભણવું તે કે જેથી આત્મહિત સધાય. પણ ‘જ્ઞાન’ નામથી મૂંઝાવું ન જ જોઈએ, કે જેથી એના નામે જ અજ્ઞાનનું પોષણ થઈ જાય !
―――――――――――――――――
સભા : સાહેબ ! આજે ત્યારે ‘સંઘ' નામની જ મૂંઝવણ છે ને ?
આથી તો કહેવું પડે છે કે ‘આજે ઘણાઓ શબ્દની ભ્રમણામાં પડ્યા છે.’ અન્યથા સંઘનું સ્વરૂપ, સત્તા, અને ફરજ, એ બધું સમજાઈ જાય તો મૂંઝવણ રહે પણ શાની ? જેમ વ્યવહારમાં, ન્યાતમાં અને કાયદામાં પ્રવીણ છો અને જેમ ત્યાં એની રક્ષા માટે કાયદા-કાનૂન રાખ્યા છે, તેમ શ્રી જિનેશ્વરદેવોએ શ્રીસંઘ માટે અને શ્રીસંધની રક્ષા માટે પણ, તેવા તેવા કાયદા અને કાનૂનો રાખ્યા છે. ન્યાતને સાચવવા તમારા કાયદા- કાનૂનો છે, તેમ આગમને સાચવવા, સંઘનું બંધારણ સાચવવા કાયદા-કાનૂનો છે. એને અનુસરીને રહે તે થોડા પણ હોય તો ઘણા. પચાસ ઘરની નાત પણ જો કાયદામાં હોય, તો તે નાત પણ કાયદા બહારના વધારે તેઓને પણ ઠોકરે મારે છે. પણ એ ક્યારે બને ? મર્યાદાને માને તો. આજના લોકોને તો મર્યાદા જ નથી ગમતી. સામાન્યતયા મર્યાદાના વિષયમાં શ્રી લક્ષ્મણજીનું દૃષ્ટાંત વિચારવા જેવું છે. શ્રી લક્ષ્મણજીની કહેવાતી આ વાત ઇતરોને પણ માન્ય છે.
૨૬૯
શ્રી લક્ષ્મણજી શ્રી રામચંદ્રજીને વડીલ બંધુ તરીકે પિતાને સ્થાને માનતા અને શ્રી સીતાજીને માતા તરીકે માનતા. વનમાં કાયમ સાથે રહ્યા છે. ઝૂંપડી બાંધવાનું અને બીજું ફળ-ફૂલ લાવવાનું તમામ કામકાજ પોતે કરતા.
“વુડને નાભિનાનામિ, નામિનાનામિ જો । નુપૂર ડ્વ જ્ઞાનામિ, નિત્યં પાવાભિવન્તનાત્ ।।।।।”
જ્યારે શ્રી સીતાજીનું અપહરણ થયું અને શ્રી રામચંદ્રજી વિલાપ કરે છે, એ અરસામાં સીતાજીને શોધતાં શોધતાં માર્ગમાંથી એક કંકણ હાથ આવ્યું છે, ત્યારે તેને દેખાડી જ્યારે શ્રી રામચંદ્રજી લક્ષ્મણજીને પૂછે છે કે ‘આ કંકણ સીતાજીનું હોય ?' ત્યારે ઉત્ત૨માં શ્રી લક્ષ્મણજી કહે છે કે
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org