________________
૨૭૮
--- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૪ –––– –– 1008
પામી ગયા : વ્યાધિ એ શરીરનો સ્વભાવ છે અને આત્માનો ધર્મ સમતાપૂર્વક વેદવાનો છે. આ રીતે કહો તો દરદીની અરધી બીમારી શમી જાય. આથી જ કહેવું પડે છે કે અશુભ કર્મના ઉદયના મર્મને સમજો.
દુનિયામાં કોઈ કોઈને દુઃખી કે સુખી કરવા સમર્થ નથી. અનંતજ્ઞાનીઓએ પણ એ જ કહ્યું કે “અમે પણ કોઈને સુખી કે દુઃખી કરવા સમર્થ નથી, પણ દુઃખનાં સાધનો તથા સુખનાં સાધનોને ભિન્ન ભિન્ન પાડી મૂકી દઈએ - બતાવીએ, જે જેવાં સાધન લે તે તેના આધારે સુખી કે દુઃખી થાય. મુનિની શુદ્ધ દયા :
પણ આજ સ્વર્ગ અને નરકનાં સાધનો બતાવનાર તારક મુનિ-પુંગવો માટે ઘણા કહે છે કે “સાધુઓએ સ્વર્ગ-નરકની ચાવી હાથમાં રાખી છે.' એવાઓએ સમજવું જોઈએ કે “સાધુઓ એવી ચાવી રાખવા નવરા નથી. એ દરવાજા ઉઘાડ કે બંધ કરવાનું કામ સાધુઓએ નથી રાખ્યું. બાકી એ વાત ખરી છે કે અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ સ્વર્ગ-નરકનાં સાધનોને સાધુઓ પ્રગટપણે બતાવે અને કહે કે આ સાધનો નરકનાં તથા આ સાધનો સ્વર્ગનાં, યાવતું મોક્ષનાં !” અશુભનો ઉદય થયો શાથી ? કોઈ રોતો આવે તો, રોવાનું કારણ પૂછીને પછી જો સહાય કરવામાં આવે, તો તે સહાયમાં એ લેવાશે નહિ. ખરો ઉપકારી પણ તે કે જે રોવાનું કારણ જાણી માર્ગ બતાવે : દુઃખથી દૂર થવાનું અને સુખને માર્ગે સંચરવાનું બતાવીને સહાય કરે. કોઈ મરવા પડે ત્યારે નવકાર દે કે સોનૈયા ? મરનારને તો સૌનેયાની હાયવોય હોય, પણ સાચો સંબંધી તો એ વખતે એ બધું આવું કરી નવકાર દે. પેલો મોહમાં ફસ્યો હોય, એટલે એને તો ધન વગેરેની વાતો સારી લાગે અને પોતે એવી વાતો કરવા મંડી પડે, પણ એ વખતે એવી વાતો ન કરવા દેવી એનું નામ તો દયા છે. સાધુને દયા નથી આવતી એવું માનશો મા; જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની પણ દયા પાળે તે મુનિને પંચેન્દ્રિય મનુષ્યની અને તેમાં પણ શ્રી જિનેશ્વરદેવના શાસનના શ્રાવકની દયા ન હોય ? અધમ કોટિના આત્મા પ્રત્યે પણ દયા રાખનાર મુનિને, શ્રાવક ઉપર દયા ન હોય એ બને ? દયા જરૂર છે, પણ એ દયાનો અર્થ એ નથી કે મુનિ પણ દ્રવ્યદયામાં પડે : પોતે પોતાની ભૂમિકા ઉપર જ રહે : પોતે પોતાના સ્થાનમાં રહે : તો જ એ સારી દયા કરી શકે. તમારું પોતાનું પણ ધ્યેય કયું હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org