SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ 1007 –- ૧૬ : મુનિની દયા : દ્રવ્યદયા અને ભાવદયા - 66 - ૨૭૭ દુઃખી શાથી ?' એ જ પ્રથમ તપાસે. એ ઊંટવૈદ્યની જેમ ન વર્તે. અજીર્ણમાં દરદીને ભૂખ બહુ લાગે, પણ ખાય તો ઝાડા થાય અને પ્રાણ પણ જાય, માટે ડાહ્યો વૈદ્ય તો ભૂખ છતાંય ખાવાની સાફ ના જ પાડે. એ વૈદ્ય દયાળુ ખરો કે નહિ ? ઊંટવૈદ્ય દરદીને રાજી રાખે, કેમ કે એને તો માત્ર ખિસ્સાં તર કરવાં છે. એવા ઊંટવૈદ્ય વધારે તેટલો વ્યાધિ વધારે : એ તો ઘરેઘરે ખાટલા પથરાવે : એ વૈદ્યોનું ધ્યેય જ એક કે સામાનું દરદ લંબાય તો ઠીક ! આથી સાચો વૈદ્ય તે કે જે દરદીને ગમે કે ન ગમે, પણ જેવું હોય તે કહે. દરદીને આધીન થઈને દવા આપે તે વૈદ નહિ પણ ઊંટવૈદ્ય, કારણ કે વૈદે દુઃખનું નિદાન અવશ્યમેવ કરવું જોઈએ અને તે મુજબ ઉચિત ઔષધ આપવું જોઈએ. એમ પરદયાળુ સાધુને અનુકંપા કઈ ? કહેવું જ પડશે કે ભાવાનુકંપા. ગૃહસ્થને દ્રવ્ય તથા ભાવ બેય પ્રકારની અનુકંપા હોય અને મુનિને તો મુખ્યતયા ભાવાનુકંપા હોય. મુનિવરો દ્રવ્ય અનુકંપાનો ઉપદેશ દે, પણ ત્યાંયે હૃદય તો ભાવનુકંપામય જ હોય. શ્રાવક દ્રવ્યાનુકંપામાં પણ ભાવાનુકંપાની કાળજી રાખે. ભાવાનુકંપા સમજ્યા વિના દ્રવ્યાનુકંપા વાસ્તવિક રીતની હોય નહિ. માટે તો ઉત્પત્તિની અપેક્ષાએ આસ્તિક્ય પહેલું કહ્યું અને પછી અનુકંપા કહી. આસ્તિકય એટલે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ઉપર અખંડ શ્રદ્ધા, અખંડ પ્રેમ ! એ ન જાગે ત્યાં સુધી સાચી અનુકંપા, સાચો સંવેગ, સાચો નિર્વેદ કે સાચો ઉપશમ થાય નહિ, માટે પહેલું આસ્તિક્ય મજબૂત થવું જોઈએ. “આ સાચું અને આ ખોટું, સાચું તે સાચું અને ખોટું તે ખોટું' - આ દૃઢ માન્યતા એ સમ્યક્ત્વ! આવી દઢ માન્યતા હોય તો જ સાચી અનુકંપા પ્રગટે છે અને એ જરૂર દુઃખીને સુખને માર્ગે લઈ જાય છે તથા જો એ ન હોય તો વખતે સામાને બમણા દુઃખમાં નાખે છે. રોતાને તરત છાનો રાખવા જાઓ તો ડબલ રુએ, માટે રોઈને થાકે ત્યારે છાનો રાખવો. ઊભરો નીકળી જાય, રોવાનો વેગ ઘટે એટલે તરત છાનો રહે. અશુભના ઉદયને રોકાય તો નહિ, માટે એને નીકળી જવા દેવો જોઈએ. એની પાસે બેસી શુભ ભાવનાનાં વહેણ વહેતાં કરવાં. બીમાર પાસે જઈને શું કહેવાય ? “અરરર ! આવું શરીર થયું ? સાવ સુકાઈ ગયો, બહુ લેવાઈ ગયો” - આમ કહો તો દરદી ગભરાય. હબક ખાય અને એને દુર્બાન થાય, માટે એને કહેવું જોઈએ કે “વ્યાધિ તો ભલભલાને આવે, વ્યાધિ વખતે સમતા અને શાંતિ રાખે તો કામ થઈ જાય, વ્યાધિ વખતે તો કઈ આત્મા કર્મક્ષય કરી કેવળજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy