________________
૨૯૯
-
-- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૪ –––
–
1008
પાપનાં જ કારણો છે, ગમે તે રીતે સેવીએ તો પણ પાપનો જ બંધ થાય, એને છોડ્યા વિના મુક્તિ જ નથી.' - આ માન્યતામાં વાંધો શો છે ? આ માન્યતા હોય તો પાપમાં જોડાયેલાને પણ પાપનો બંધ ઓછો પડે. શ્રાવક પોતે પણ પદ્ગલિક સુખને અયોગ્ય માને તો સાધુ માને એમાં નવાઈ શી? જો કોઈ સાધુ પૌલિક સુખને સારાં કહે, તો તમારે પૂછવું જોઈએ કે “તમે કેમ છોડીને આવ્યા ? અગર છોડવામાં ભૂલ કરી હોય તો તેમ કહો અને પાછા આવો અમારામાં, પણ તમે તો તજીને આવ્યા છો અને અમે જે ફસાયેલા તો છીએ જ તેને વધુ કેમ ફસાવો છો ?' ફસાયેલાને સાધુ વધુ ફસાવે ? ફસાયેલાને વધુ ફસાવે એ કામ કોનું ? તમે એમને કહો કે “અમે ફસ્યા છીએ તેને આપ સારું શી રીતે કહો છો ? અમે જ્યાં બેઠા છીએ તે સારું હોત તો સારા માનીને તમને અમે નમવા શું કામ આવત ?' આથી વધારે પ્રશ્નોની જરૂર જ નથી. આવા બેપાંચ પ્રશ્નો એવા પુછાય કે કાં તો કપડાં કાઢવાં પડે અને કાં તો સીધું આધીન થવું પડે, પણ તમે જેમાં ફસ્યા છો તેને એવું પોતાનું માની બેઠા છો કે તમને ત્યાં એ વિચાર જ રહેતો નથી. શાસ્ત્ર કહે છે કે જે ગુરુ ગણાતા પાસેથી, તમે જ્યાં બેઠા છો તે જ મળતું હોય તો કહી દેવું કે “તમે અમારા ગુરુ નથી, કેમ કે - તમારી પાસે પણ એ; તો અમે બેઠા છીએ તે ખોટું શું છે ?” સભા ઉપદેશક એવો કારીગર હોય કે જેવો સાંભળનાર આવે તેવું કહે અને જેવો
સામે આવે તેવો સ્વાંગ પોતે ધરી લે તો ? કારીગર જેવો હોશિયાર હોય તેવા હોશિયાર ગ્રાહકે બનવું જોઈએ, પણ એ યાદ રાખવું કે ધ્યેય ચૂકેલો કારીગર કદી ખુલ્લો પડ્યા વિના રહે જ નહિ. ગમે તેમ છુપાવે, પણ “હૈયે તે હોઠે આવ્યા વિના રહે જ નહિ. લખે વૈરાગ્યનાં ઝરણાં, ભલેને પચાસે પાનાં એવાં લખે, પણ એક-બે ઠેકાણે – એક-બે પાનામાં બીજાં છાંટણાં આવી જ જાય. હૈયામાં હોય તે કલમમાં નીતરે. પચાસ પાનાંમાં બે જગ્યાએ પડેલા ઝેરને ઓળખવું જોઈએ. કોઈ પણ ગ્રંથ વગેરે વાંચવા લો, તો તેના લખનારને પ્રથમ તપાસો પછી હાથમાં લો. સાધુની દયા :
સભા સમાજની દુર્દશા જોઈને સાધુને દયા ન આવે?
સાધુને દયા કેમ ન આવે ? અવશ્ય આવે જ, કારણ કે સાધુ તો દયાની મૂર્તિ. પણ એ દયા એવી આવે કે ફરી ડબલ હિંસા ન થાય, કારણ કે એ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org