SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ : મુનિની દયા ઃ દ્રવ્યયા અને ભાવદયા સુખની ઇચ્છાને પોષે તે તો વસ્તુતઃ પાપદેશના છે. દેશના દેનારને માથે જોખમદારી ઓછી નથી. દુનિયા માગે તે દેવું હોય તો સાધુ અને અસાધુમાં ફેર શો ? દુનિયા માગે તે સાધુ દે, તો તો બેય સરખા ભેગા થયા, કારણ કે પેલાને એટલે શ્રોતાને ધર્મીપણાની કિંમત નથી અને સાધુને સાધુપણાની કિંમત નથી ! તમે પોતે ઊંચે માર્ગે ન આવી શકો એ કદી બને, પણ જ્યાં છો તે સ્થાન સારું અને સુખદ છે, એમ તો તમે ન જ માનોને ? અને એમ તો તમને ઉપદેશક પણ ન જ કહે ને ? 1005 Jain Education International - For Private & Personal Use Only 66 સભા : ‘સંસારમાં રહેવું' એને સારું કહેનાર ઉપદેશકનું ગુણઠાણું કયું ? જ્યાં સમ્યક્ત્વ જ નહિ ત્યાં તેનું ગુણઠાણું કયું ? સાધુ તો તજીને આવેલ ? છે અને તમે તો હજી તજ્યા વિનાના, છતાં તજવા યોગ્ય માનો તો તમારું ચોથું અથવા પાંચમું ગુણઠાણું ટક્યું ૨હે, જ્યારે તજ્યા છતાં સાધુ થઈ તે ચીજને ઉપાદેય કહે, તો તો પહેલું ગુણઠાણું હોય ને ? સભા : વેષ હોય તોય ? વેષ તો ભાંડ પણ પહેરે છે. બેશક, વેષ કીમતી છે : ભૂલતાને બચાવે તેવો છે : પણ જેને વેષની કિંમત હોય તેને, પણ જેને વેષની કિંમત જ ન હોય તેને શું ? વ્યવહા૨માં જેમ કહેવાય છે કે ટોપીવાળા ગમે તેમ ચાલે પણ પાઘડી પહેરનારાથી એમ ન જ ચલાય ! પણ જેને પાઘડીની પણ કિંમત ન હોય તેને શું ? તે તો ગમે તેમ બોલે ને ચાલે પણ ! એવી જ રીતે વેષના યોગે હજારો બચી ગયા, પણ લજ્જા મૂકી વેષની દરકાર ન કરે, તેને વેષ મુક્તિએ શી રીતે લઈ જાય ? સારામાં સારી ચીજની જો કિંમત ન સમજાય, તો તે મુક્તિ આપે નહિ. માન્યતાભેદ એટલે માર્ગભેદ : આચારભેદ એટલે માર્ગભેદ નહિ. આચાર થોડો પળાય તેથી એ માર્ગ બહાર નહિ ગણાય, પણ માન્યતા જાય એટલે તો એ ગુમાવનાર માર્ગની બહાર જ ગયો એમ જ ગણાય. માર્ગને નહિ આચરી શકનાર પણ જો માન્યતા મજબૂત હશે, તો એ આજે નહિ તો કાલે પણ સુધ૨શે : થોડા દિવસ પછી પણ એને સુધરવાની તક છે. દુર્ગુણને ખરાબ માને તે મોડો-વહેલો પણ સુધરે, અરે ભવાંતરે પણ સુધરે : પણ દુર્ગુણને જ સારા માને તેનું શું થાય ? પંચમ કાળ છે એટલે તેવો ત્યાગ, તપ, સંયમ ન થાય તે મનાય, પણ માન્યતા તો અખંડ રહેવી જ જોઈએ. ‘સંસાર અસાર છે, ભોગસુખ ત્યાજ્ય છે, એને તજ્યા વિના શ્રેયઃ થાય તેમ નથી, અઢાર પાપસ્થાનકો એ ૨૭૫ www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy