________________
૧૬ : મુનિની દયા : દ્રવ્યદયા અને ભાવદયા
સાચા ઉપદેશકઃ
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા શ્રી આચારાંગ સૂત્રના છઠ્ઠા ધૂત' નામના અધ્યયનના “સ્વજનધૂનન' નામના પહેલા ઉદ્દે શામાં સ્વજનધૂનન'નું નિરૂપણ કરતાં પહેલાં સ્વતંત્ર ધર્મદેશના કોણ આપે તે સમજાવી ગયા અને ફરમાવી ગયા કે શ્રી તીર્થંકરદેવ પણ સંસાર તેમજ મોક્ષને તથા તેનાં કારણોને બરાબર જાણ્યા પછી જ ધર્મનું નિરૂપણ કરે : એ જ ન્યાયે સામાન્ય કેવળજ્ઞાનીઓ અને શ્રુતકેવલીઓ સ્વતંત્રપણે ધર્મ કહે અને બાકીના જે કહે છે એમને અનુસરીને જ કહે ! સાથે એમ પણ ફરમાવી ગયા કે શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મોપદેશક છતાં પ્રબળ મોહથી વીંટાયેલા આત્માઓ ધર્મને સાધી શકતા નથી.
ખરેખર, ધર્મ પામ્યા પછી પણ પૌગલિક લાલસા આવી જાય અગર કાયમ રહી જાય, તો પામેલો ધર્મ પણ હારી જવાય. ધર્મક્રિયા તદૂત તરીકે હોય તો નિયમ કલ્યાણકારી નીવડે. સમ્યગ્દષ્ટિ આત્મા જે ધર્મક્રિયા કરે, તે મોક્ષને હૃદયમાં રાખીને કરે. આ લોકની કે પરલોકની પૌગલિક લાલસાથી થતી ધર્મક્રિયા; અગર બધા કરે છે માટે કરવું પડે, એ રીતે થતી ધર્મક્રિયા સમ્યગ્દષ્ટિની નથી પણ એ ક્રિયા મિથ્યાદૃષ્ટિની છે.
પૌદ્ગલિક સુખો કરતાં આત્મિક સુખની કિંમત સમ્યગ્દષ્ટિ આત્મા અનંતગણી માને છે. જે સમ્યગ્દષ્ટિ આત્મા, પૌદ્ગલિક સુખને પર, અસ્થિર તથા અનિત્ય માને અને પરિણામે અહિતકર માને, તે આત્મા ધર્મનાં ફળ તરીકે એ સુખને માગે ? ઇચ્છે પણ નહિ તો માગવાની તો વાત જ શી ? જો એમ ઇચ્છે કે માગે, તો પરિણામે સમ્યક્ત્વ કેમ જ રહે ? ન જ રહે. આથી ધર્મીએ ધર્મની ક્રિયા કરતાં પૌગલિક સુખની આશા ન જ રાખવી જોઈએ અને એ જ પ્રકારે અમારે પણ કહેવું જોઈએ.
પૌલિક સુખની પ્રાપ્તિ માટે ધર્મદેશના છે જ નહિ. ધર્મની દેશના તો પૌદ્ગલિક સુખોને છોડાવવા માટે છે, પણ સ્વીકારવા માટે નથી. પોલિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org