SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ 1091 – ૧૫ : લોકોત્તર મિથ્યાત્વથી બચો ! - 65 - ૨૭૧ સમજે, ચોંકે અને મમતા છોડી ત્યાગ કરે તો મુક્તિ પામે ! આ જ એક માત્ર હેતુ! શંકા ટીકાકારે કહ્યું શું કામ ? સમાધાનઃ બધા લખી ગયા માટે. શંકા : બધા લખી ગયા શું કામ ? સમાધાન : ત્રિલોકનાથે કહ્યું માટે. શંકાઃ ત્રિલોકનાથે કહ્યું શું કામ ? સમાધાન : તીર્થકર નામને સફળ કરવા માટે. શંકા : તીર્થંકર નામકર્મ શું કામ બાંધે ? સમાધાન : બધા જીવોને સુખી કરવા. શંકા સુખી શું કામ કરવા? સમાધાનઃ દુઃખમાં રિબાઈ રહ્યા છે અને રાડો પાડે છે માટે. આવી આવી જ્યાં માત્ર શંકાઓ જ કરવી હોય, ત્યાં અંત શી રીતે આવે ? અરે, હજી પણ કહે કે “ભલેને રિબાતા, ભલે રાડો પાડે, સુખી શું કામ કરવા ?” કારણ કે જેને સીધું ન બોલવું હોય એને માટે કંઈ ઉપાય હોય ? ત્રિલોકનાથે દુઃખથી છોડાવવા માટે કહ્યું, શ્રી તીર્થકરદેવે કહ્યું તે ગણધર ભગવાને ગૂંચ્યું, નિર્યુક્તિકારોએ અને ભાષ્યકારોએ વિશદ કર્યું અને ટીકાકારોએ ખીલવ્યું, આમાં વાંધો ક્યાં? કેટલા ગરણે ગળાઈ આવેલું હું તો કહું છું, એટલે પછી મને સંતાપ શો ? ફરિયાદ કરવી હોય તો એ ત્રિલોકનાથ પાસે ફરિયાદ કરો. આને મૂકીને જેને બોલવું હોય તેને ચિંતા. ખીલો મજબૂત હોય તેને વાંધો શો ? ખીલે બરાબર બંધાયેલું પશુ કદી ખાડામાં ન પડે, તેવી રીતે આજ્ઞારૂપ ખીલે વળગીને કહીએ ત્યાં સુધી છૂટા. સભા : ગૃહસ્થો તો સહુના આધારભૂત છે ને ? કાદવમાં કમળ ઊગે છે માટે કાદવને પણ ખિસ્સામાં મૂકવો કે મોઢે લગાડવો? મહાનુભાવ! જરા સમજો. તેઓ જે રૂપમાં કહે છે એમ તો ઇતરો પણ નથી કહેતા. પાતંજલિ પણ ઇતર જ છે ને ? ઇતરમાં પણ ઉત્કટ કોટિના છે તે એમ નથી કહેતા. અને ઊલટું કહે છે કે “પહેલાં અમારી ભ્રમણા હતી.” For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy