________________
૨૭૦ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -- ૪ -
–
1000
પણ એ સાંભળીને તો તેઓ બૂમ મારશે કે “અમને નારકી કહ્યા' - પણ માને કે ના માને, ટીકાકાર મહર્ષિ તો સ્પષ્ટપણે ગૃહસ્થાવાસને નરકના પ્રતિનિધિ તરીકે પણ ઓળખાવે છે. સાચી વાતને પણ નહિ માનનારા તો નહિ જ માનવાના. મેં એક વાર કહ્યું હતું કે ધર્મી તો વિચારે કે- “પુણ્યોદયે શ્રી જિનેશ્વરદેવનું શાસન મળ્યું, શ્રી વીતરાગ દેવ મળ્યા, નિગ્રંથ ગુરુ ટકોર કરનારા મળ્યા, અને પ્રેરણા ચાલુ હોવા છતાં પણ અમારા કુટુંબપરિવારમાંથી સંયમ લેનારો એક પણ ન પાક્યો, એક પણ વિરાગી ન પાક્યો, ખરેખર અમો ઘરમાં મડદા જેવા છીએઃ ચૈતન્ય હોત તો આટલા આટલા સંયોગો મળવા છતાં એક પણ વિરાગી ન પાકે ? અને જો એમ જ હોય તો પછી ઘરમાં અને સ્મશાનમાં ફેર શો ?” આવી વિચારણા કરવાથી કદાચ ચૈતન્ય જાગે અને વૈરાગ્ય પેદા થાય પરંતુ એવી વાતને પણ ઊંધા રૂપમાં લેવા માંડીને અજ્ઞાનીઓએ ઘોંઘાટ કર્યો હતો. આવા માણસો જો મહાપુરુષોએ સંસારને આપેલી ઉપમાઓ વાંચે, તો તો ગભરાઈ જ જાય ને ? શાસ્ત્રોમાં સંસારને સ્મશાનની ઊપમા પણ આપી છે, પણ એ બધું એ લોકોને જાણવુંય ક્યાં છે અને વિચારવુંય ક્યાં છે ?
સભા : કેટલાક કહે છે કે સાધુને આવું કહેવાની આવશ્યક્તા શી ?
કહેનારની પ્રશ્નમાળાની વાત જવા દો. અન્ય શાસ્ત્રોમાં પણ કહે છે કે “પાણિયારું, ચૂલો , સાવરણી અને ખાંડણિયો વગેરે હિંસાનાં સ્થાન છે. આ સંબંધમાં કોઈ પૂછે કે “શા માટે કહ્યું ?” તો તેઓ પણ કહે કે “એમાં ફસાયેલા આત્માઓ છૂટવાના પ્રયત્ન કરે તે માટે ! બાકી દરેક વાતો સામે ગાંડાઓની પ્રશ્નાવલી થયા જ કરે છે. એવાઓની તો શંકાઓ નીચે પ્રમાણે ચાલ્યા જ કરે.
શંકા: સાધુને કહેવાની જરૂર શી?
સમાધાન : આ બધી વાતો આ ગ્રંથકારો લખી ન ગયા હોત અને વગર લખેલી તરંગી વાતો કેવળ કલ્પીને જ સાધુઓ કહેતા હોત તો તમારો પ્રશ્ન વાજબી હતો.
શંકા ગ્રંથકારોને અને તીર્થકરોને પણ કહેવાની જરૂર શી ?
સમાધાનઃ જે બધા હિંસાદિ કરી રહ્યા છે એ અહિંસાપ્રેમી બને, અહિંસક બને, એ પરિણામે ટકે, આશ્રવથી ખસે, સંવર સેવે અને એ રીતે સાચા અહિંસક બની નિર્જરા કરી મુક્તિએ જાય તે માટે ! આ ટીકાકાર મહર્ષિએ ગૃહસ્થાવાસને નરકનો પ્રતિનિધિ પણ કહ્યો, તેનો હેતુ એ જ કે ગૃહસ્થાવાસમાં પડી રહ્યો છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org