________________
09
– ૧૫ : લોકોત્તર મિથ્યાત્વથી બએ ! - 65
-
૨૫૯
- અભવીએ રાગને માટે કરેલા ત્યાગના યોગે રૈવેયક મળે, પણ સંસાર તો કાયમ ! ગુરુને વંદન કરવા જાઓ તે જતાં-આવતાં દોષ લાગે, પણ એ જ્યિા નિરવદ્ય કે સાવદ્ય ? તમે કહો કે “અમુક ગામે જઈ ગુરુવંદન કરી આવ્યા – તો એને પાપ કહેવાય કે પુણ્ય ? કેટલીક શંકાઓ ને સમાધાનો !
સભા: આશયને લગતા પ્રશ્ન !
અરે આશય તથા પરિણામ બધું તપાસોને ! એકલા આશયને ન વળગો. કોઈ પૂછે કે “કયા ગુરુને વાંદી આવ્યો!?' એના જવાબમાં એ કહે કે “જે ગુરુ વેપારના ભાવતાલ કહે છે તેને : અર્થકામના ઉપાયો બતાવે છે તેને !” – તો શું ભાવના, આશય, પરિણામ, પ્રવૃત્તિ બધું જોવાનું ! દરેક ક્રિયાના પરિણામમાં ધર્મની પુષ્ટિ છે કે નહિ તે નક્કી કરો. જે આશય બતાવાય તે પ્રવૃત્તિથી ફળ છે કે નહિ તે જુઓ. જે ગુરુ પાસે જતાં એકાંત હિત છે, તારી શકે એવા છે, ત્યાં વંદન કરવા ગયા ત્યાં તો વચલી સાવદ્ય ક્રિયા પણ બાતલ થાય, એટલે કે લાભહેતુ થાય, પણ જે ગુરુ પાસે ગયા તે પણ બગલા જેવા હોય તો શું થાય ? શુભ આશયવાળી ક્રિયાનું પરિણામ એકાંત શુભ જોઈએ. તમે લાખોની મિલકત બેંકમાં ગોઠવો છો, કારણ કે પરિણામ જાણો છો કે બાર વરસે બમણા થવાના છે : પણ જો તમને જરા શંકા પડે કે કાં'ક પોલ છે તો ? સભા : પરિણામમાં રહેતી ખામી પૂરી કરો.
ખાડો ખોદો તમે, અને હું પૂરું એમ ? ‘તમે ખાડો ખોઘા કરો અને હું પૂર્યા કરું' એમ ? અરે, એમ સહી. ચાલો. પણ તો પછી કહ્યું તો માનવું પડશે ને ? તમે તો આ પારકું બોલો છો. તમે થોડાક અહીંના એટલે ખામી કબૂલ કરો છો, પણ “ખામી છે' એવું એ કહે છે ? ખામી કબૂલે તો હું ખામી પૂરવાના રસ્તા બતાવું એટલે તરત મેળ થાય, પણ લડનાર સાથે મેળ ન મળે. સાંધનાર સાથે તો મળે. કપડું વાંકું ફાટે તો વાંકું સાંધીએ, પણ સોય દોરો લેવા દે તો ને ! કપડું જ હાથમાં ન આપે તો ? ફાટેલું તૂટેલું બધુ આખું થાય, પણ ફાટેલું માને છે કોણ ? જે કહે એને તમે જરા લાવો તો ખરા !
શાસ્ત્રકાર કોઈની શરમ ન રાખે. એ તો બધું જ કહે. આ ટીકાકાર મહર્ષિએ આગળ ગૃહસ્થાવાસને નરકના પ્રતિનિધિ તરીકે પણ ઓળખાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org