SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૪ પણ પાટા પરથી ઊતરે એ બને ? પાટા પર રહીને થતા અપવાદ ચાલે, પણ પાટા પરથી ટ્રેન ખસી પછી શું થાય ? સભા : અપવાદનો અર્થ ? મૂળને પોષે તે અપવાદ. નિરવદ્ય ક્રિયાના રક્ષણ માટે બધા અપવાદ સેવાય, પણ સાવદ્ય ક્રિયાના રક્ષણ માટે એક પણ અપવાદ ન સેવાય. શાસનરક્ષા માટે જ્ઞાનીએ દર્શાવેલ અપવાદ સેવાય, કેમ કે ધ્યેય એ કે નિરવઘ ક્રિયાની પુષ્ટિ છે. જે ક્રિયાથી નિરવઘ ક્રિયાને પુષ્ટિ મળે તે કરાય. નિરવઘ ક્રિયાને ખીલવવા અપવાદ સેવાય. નિરવધ ક્રિયાનું રક્ષણ કરતાં અવિધિ થાય તો પણ એનું પ્રાયશ્ચિત્ત પ્રાયઃ મિચ્છા મિ દુક્કડં. સાવઘની પુષ્ટિ કરે તે અપવાદ નહિ. 998 અર્થકામના ઇરાદાથી કરાતી ધર્મક્રિયાથી થતા પાપને પાપમાં ગયું. જ્યારે અર્થકામના ત્યાગ માટે થતી ધર્મક્રિયામાં સાવધનો થોડો અંશ હોય તો પણ શાસ્ત્ર એને નિરવઘ કોટિમાં ગણ્યું છે. સાવદ્યપુષ્ટિ માટે થતી નિરવદ્ય ક્રિયા પણ સાવધની કોટિમાં ગણાય. હજાર વિદ્યા સાધવા માટે રાવણનું ધ્યાન, - એ ક્રિયા તો નિરવદ્ય હતી, પણ હેતુ સાવઘ હોઈ - એ પણ ક્રિયા સાવદ્ય ગણી. બગલાના ધ્યાનની ઉપમા ક્યાં ? પ્રપંચી ક્રિયામાં બગલો નેત્રો મીંચીને ઊભો રહે : એ ક્રિયા તો સાચી, પણ બગધ્યાન ખોટું કેમ ? એનું ધ્યાન અને એની એ ક્રિયા એટલા માટે છે કે એના દ્વારા માછલાં પંજામાં આવે : માટે જ એ બધું પાપમય. એનો હેતુ પાપનો છે. શ્રી વિષ્ણુકુમાર નામના મુનિવરે જે કાર્યવાહી કરી તેમાં ઇરાદો પાપનો નહોતો. ત્યાગ માટે કદી રાગ સેવવો પડે તો તે સેવવાની છૂટ, પણ રાગને માટે ત્યાગ સેવવાની છૂટ નહિ. ત્યાગ માટે - ત્યાગની પ્રાપ્તિ માટે કદાચ રાગ કરવો પડે તો એ હજી નભે, એ જરૂરનો પણ છે, પ્રશસ્ત તરીકે એને વખાણાય પણ છે, કારણ કે એ ત્યાગના હેતુભૂત છે : પણ રાગપ્રાપ્તિ માટે ત્યાગ ખોટો. અભવીનો ત્યાગ એ રાગપ્રાપ્તિ માટે હોય છે, એથી સંયમના પાલન છતાં પણ તેનો સંસા૨ ઘટતો નથી અને ભગવાન શ્રી ગૌતમસ્વામીજીનો ભગવાન પ્રત્યેનો રાગ એ આત્મકલ્યાણ માટે હતો. એથી જ એ રાગના પરિણામે ભક્તિ થઈ. ભક્તિયોગે નિર્જરા થઈ, નિર્જરાયોગે કેવળજ્ઞાન થયું અને મુક્તિપદે પહોંચ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy