________________
gar
-
૧૫ : લોકોત્તર મિથ્યાત્વથી બચો ! – 65
-
૨૫૭
શરણ. સાચવવાનું શરૂઆતમાં. પાપની ક્રિયા કરતાં જ આત્માને રોકો. પાપ થયું પછી તો ચાલ્યું : એને પોષવા બીજું પાપ : એને સાચવવા, ખીલવવા અને એને ફૂલ-ફળ લાવવા અનેક પાપ કરવાં પડે!વધતાં વધતાં અનેક પાપ કરનારો થાય. “વટલેલી બ્રાહ્મણી તરકડીથીયે ભૂંડી' - એ કહેવત લાગુ પડી જાય. જાત ઉમદા, પણ ન બગડે ત્યાં સુધી ! સારામાં પણ એક દુર્ગુણ આવ્યો, પછી ગબડતાં વાર કેટલી? કપડું મજાનું, પણ કાણું પડ્યું એટલે ખલાસ ! કાણું ન પડે એ કાળજી રાખવી. કદાચ પડે તો સાંધવું જરૂર હોય તો થીગડું દેવું પણ જો કાણું રાખ્યું તો છ મહિને ફાટનારું કપડું થોડે દિવસે ફાટશે. આત્મામાં પાપરૂપ છિદ્ર પડવા ન દો. તમે પાપને માનનારા, પરલોકને માનનારા, સ્વર્ગ-નરકને માનનારા, પાપથી નિર્ભય બનો તો નાસ્તિકની વાત શી કરવી ? નાસ્તિક તો પાપને માનતો જ નથી, નરકને માનતો જ નથી, આત્માને માનતો જ નથી, એટલે એને ભય ન લાગે, પણ જે આત્માને માને, પાપને માને, પરલોકને માને, સ્વર્ગ અને નરકને માને, ને ઇરાદાપૂર્વક પાપનો ઉપદેશ કરે તે નાસ્તિક નહિ પણ મહાનાસ્તિક. નાસ્તિક તો મોઢે કહે કે “આત્મા નથી, પાપ નથી, નરક નથી. એટલે એ તો ઠીક કે એમાં કોઈ ફસાય તો નહિ ! પણ પાપને માનું છું કહીને પાપને પોષે, વધારે અને ખીલવે તે કેવો ? પાપને કબૂલવા છતાં પાપનો ઉપદેશ એ કઈ દશા ? એક જ ભાવ કહી બે ભાવ લે તે સારો કે વગર પાટિયે લેવું હોય તે લે એ સારો ? જે એક જ ભાવનું પાટિયું મારી ફાવતા ભાવ કરે તે સારો કે વગર પાટિયે ફાવતા ભાવ કરનારો સારો ? એક જ ભાવનું પાટિયું મારી ફાવતા ભાવમાં રમનારો તો સારો નહિ ને ? એ તો પેલાથીયે નીચ ! અપવાદ શા માટે?
તહેતુપણું ક્રિયામાં લાવવું હોય તો દરેક ક્રિયાની તપાસ કરો. તહેતુ ક્રિયા વિના અમૃતક્રિયાની આશા ન રાખો. ક્રિયાને અમૃત બનાવા માટે તહેતુ બનાવવી અનિવાર્ય છે, એ વિના અમૃત ન આવે.
સભા : અપવાદને સ્થાન હોય?
અપવાદ મૂળની રક્ષા માટે કે મૂળના નાશ માટે ? પુલ પર ટ્રેન ધીમી ચાલે તે નભે, બે ડબ્બા ઓછાવત્તા કરે તે નભે, પણ પુલ પરથી ખસી જાય તો નભે ? સેકન્ડ ક્લાસના ડબ્બા વધારે કે થર્ડ ક્લાસના વધારે એવી બધી ઘાલમેલ કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org