________________
૨૫૯ - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
- --
90s
પૂછો કે “લાભ થયો ?” ક્રિયા સારી છે, મજાની છે, પણ સાથે કહું છું કે તપાસ નહિ કરો, વિચાર નહિ કરો, વિવેક નહિ રાખો, તો ક્રિયા નહિ ફળે.
મંદિરથી ઘેર જતાં આત્માને પૂછો કે “કઈ કઈ ભાવનાઓ આવી હતી ? મમત્વ ઘટ્યું કે વધ્યું? ભક્તિમાં આત્મા તન્મય બન્યો હતો કે નહિ ?' બહાર નીકળ્યા પછી એવું જ મમત્વ રહે તો માનો કે કિયા તહેતુ થઈ નથી. તદુહેતુ ક્રિયા થઈ છે કે નહિ, તેની પરીક્ષા કરવાનું આ થર્મોમિટર છે. વિચાર કરો કે તરત ખબર પડે.
શ્રાવક જાગે ત્યારે આંખ ખૂલતાં પહેલાં એને યાદ શું આવે? જો જ્ઞાનીઓએ કહી છે એ ભાવનાએ જાગતા હોત, તો આજે જેવી દયા ફાટી નીકળી છે તેવી ન ફાટી નીકળત. એ આચારો ગયા તેથી જ આવી જાતની નાશક દયા ફાટી નીકળી છે. જો લાભદાયી ક્રિયા કરવી હોય તો ઘણા આત્માઓ દુર્ગતિમાં જઈ રહ્યા છે એમને બચાવો : એ માટે ધુમો : લોક ધર્મ કેમ બને એવા પ્રયત્નો કરો : પુણ્યવાન કેમ બને, પાપ કરતાં કેમ અટકે, વ્યસનોથી મુક્ત કેમ થાય, એવા પ્રયત્નો માટે પત્રિકાઓ અને હેન્ડબિલો કાઢ્યાં ? હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર એ ખોટાં છે માટે એનાથી બચવું, દુરાચારોથી દૂર રહેવું, આવાં હેન્ડબિલ કાઢ્યાં ? એવા દંભી ઉપકારીઓને કહોને કે વેપારમાં થતા અન્યાય, પ્રપંચોથી પ્રજાને બચાવવા કંઈ કર્યું ? એવું પ્રચારકામ કેમ નહિ ? ચોટ્ટાને ચોરીથી, હિંસકને હિંસાથી, વ્યભિચારીને વ્યભિચારથી, જુગારીને જુગારથી અને વ્યસનીને વ્યસનથી ખસેડવાને કાંઈ કર્યું ? અનીતિ, જૂઠ, દુરાચાર, હિંસા વગેરે પાપમાં પડી કેટલાંય પ્રાણીઓ દુર્ગતિમાં જાય છે, એને બચાવવા કોઈ પ્રયત્ન કર્યો ? દુનિયામાંથી કાઢવા જોગાં પાપ કાઢવા પ્રયત્ન કર્યો ? એ વિચારો ને કરો પ્રયત્ન. દુનિયા ઘેર ગઈ, મનમાં પૂછોને ! પોતાનાં પાપ માટે કાંઈ ચિંતા છે કે નહિ ? ખાનગીમાં કહે પણ ખરા કે “ખોટું તો બહુ એમ જાણીએ છીએ, પણ કરીએ શું? છોડીએ તો નાક જાય છે. દુનિયાના ખોટા મોહમાં, બનાવટી નાક માટે આટલો પ્રપંચ ? ઘણા કહે છે કે “પડ્યા' પણ ઊભા થાઓને !
પાપનો તો સ્વભાવ છે કે જે આત્મા એના પંજામાં આવ્યો તેને ન છોડે. પાપના પંજામાંથી છૂટવું મુશ્કેલ. એક પાપ સેંકડો પાપ નવાં કરાવે. ચીકણી જગ્યામાં એક પગ ખસ્યો, તો સાડા ત્રણ મણની કાયા ગુમ. પગ મૂકતાં અને ઉપાડતાં સાચવવાનું. પોલી નિસરણી પરથી પગ ખસ્યો પછી તો જમીન એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org