________________
૧૫ : લોકોત્તર મિથ્યાત્વથી બચો ! - 65
૨૫૫
જતાં ઢીલા ઊપડે. એમ ન ચલાય અને આનંદ આવે તો માનો કે વિષ, ગરલ કે અનુષ્ઠાન, એ ત્રણ ક્રિયામાંની કોઈક થઈ છે. બાર મહિને પરીક્ષા થઈ અને રિઝલ્ટ નાપાસનું આવ્યું, તો એમ જ કહે કે ‘વાંચ્યું નહિ હોય, વાંચ્યું હશે તો કાળજી નહિ રાખી હોય.' જેમ નાપાસ રિઝલ્ટના શબ્દ ૫૨થી આ અર્થ નીકળે, તેમ તમે મંદિરની બહાર નીકળો અને રાચ્યામાચ્યા દેખાઓ, તો માની લો કે ‘ક્રિયા તદ્ભુતુ નથી થઈ : પહેલી ત્રણ ક્રિયા કે જે મિથ્યાદૃષ્ટિની છે તે પૈકી થઈ છે.' આ વિચાર કદી કર્યો છે ? સામાયિક પારતી વખતે આત્માને પૂછ્યું કે ‘મજા ક્યાં આવે છે ?' કટાસણું પાથર્યું, બેઠા, ઊઠ્યા અને વાળીને મૂક્યું એ ઠીક છે, તદ્દન નહિ કરનાર કરતાં સારા : બાકી વાત તો એ છે કે એના રહસ્યને સમજીને નહિ આદરો ત્યાં સુધી સંપૂર્ણ કલ્યાણ નહિ થાય. અસ્તુ.
995
ધૂનન કરાવવું છે, પણ બે ઘડીના ધૂનનમાં ઠેકાણું નહિ હોય, તો ચોવીસે કલાકનું - જિંદગીભરનું ધૂનન ક્યાંથી થશે ? આજ તો ધૂનન પ્રત્યે જ અરાગ થયો છે ને ? આજના લોકો ‘સિદ્ધાંતાનુસાર પ્રવૃત્તિને વખોડે છે,' તેને પણ શાસ્ત્રકાર તો જાણી ગયા છે. આજના લોકોની પ્રવૃત્તિ પણ એમનાથી અજાણ નથી. આગમમાં બધું લખી ગયા છે. એક આત્મા મોહનો ત્યાગી બને તો મોહના સેવકો એને માટે શું શું કરે તે બધું આ શાસ્ત્રકાર જાણી ગયા છે અને કહી ગયા છે. આ કહેવાતા સ્નેહીઓ, જેના વિયોગને નથી ઇચ્છતા એવો ડોળ કરે છે તે પણ, એની મારફત પોતાને કંઈ મળતું હોય તો વિયોગ કરાવવા શું શું કરે છે, તે પણ આ શાસ્ત્રકાર સારી રીતે જાણે છે. પેલો કેવળ આત્માનું શ્રેયઃ કરવા નીકળે છે અને આમનું કંઈ જ વળતું નથી એની ધાંધલ છે, પણ પોતાનો સ્વાર્થ સરતો હોય ત્યાં પેલો ન જતો હોય તો મોકલવાના કેવા કેવા પ્રયત્નો એ સ્નેહીઓ કરે અને કેવી રીતે મોકલે ત્યારે જ જંપે, એ જાણો છો ને ? જ્ઞાનીઓ તો કહી ગયા છે, પણ તમને અનુભવ તો છે ને ? ‘તારા વિના ન ચાલે’ – એ કથનના આશયને જ્ઞાનીઓ સારી રીતે જાણે છે, તમે પણ અનુભવી છો ને ? પેલો એકલા આત્માનું કરે તેમાં આમને શું ? એ સ્નેહીઓ તો કહે કે ‘અમે ઇચ્છીએ તે કરે.' આ હેતુ જાણનાર ફસાય ? નહિ જ. અસ્તુ.
પાપક્રિયા કરતાં આત્માને રોકો !
જે પ્રવૃત્તિ સામે વિરોધ છે, તે વિરોધનો હેતુ બતાવો. બધી ક્રિયા તદ્ભુતુ કરવાની છે, માટે ક્રિયા કરતી વખતે શરૂઆતમાં, ક્રિયામાં અને પછી, આત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org