________________
૨૫૪ -
--- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
બનવાનો આદેશ કે ઉપદેશ છે જ નહિ, પણ ભેળો એ પણ ઉપદેશ છે કે એવી જગ્યાએ ખર્ચજો કે લેવાના દેવા ન થાય. લોભિયા વેપારી ચોરીનો માલ લે અને પછી હાથે કડી પડે એવું ન થાય, તેની કાળજી રાખવી જોઈએ. માટે લોકોત્તર મિથ્યાત્વને તજવાની જરૂર છે. એણે જ આ બધું ઝેર રેડ્યું છે. દેવ, ગુરુ અને ધર્મ પાસે પૈસા-ટકાની ઇચ્છા, એનાથી જ આ બધું પાપ ! દેવ, ગુરુ અને ધર્મની સેવા, ઉપાસનાના પરિણામે પૌદ્ગલિક સુખની ઇચ્છામાં આત્મા ફસ્યો, એટલે એ સંવરથી ખસી આAવમાં ફસ્યો અને બચવાની બારી બંધ થઈ.
કહેવાય છે કે “તીર્થક્ષેત્રમાં કરેલું પાપ વજલેપ જેવું થાય છે.” શાથી ? નિર્જરાના સ્થાનમાં બંધક્રિયા એટલે પરિણામની ભયંકર દુષ્ટતા. એવી જ રીતે દુકાને કમાવાની ઇચ્છા થાય, એના કરતાં મંદિરે એ ઇચ્છા થાય તે ભયંકર ઇચ્છા છે. જ્યાં જે મૂકવા આવ્યો, ત્યાં તે કેમ ઇચ્છાય? આથી મંદિર આવવાનું બંધ ન કરતા હોં ! તમે અવળું પકડો એ ભય બહુ રહે છે. પેલી દુષ્ટ ઇચ્છાનો ત્યાગ કરવાનું કહું છું, પણ મંદિર આવવાનો ત્યાગ કરવાનું નથી કહેતો ! પણ વિચારો કે જે સ્થાને મૂકવાનું છે ત્યાંથી જ લેવાની ઇચ્છા થાય. એ આત્માની કેટલી અધોગતિ છે ? “વીર મને તારો, મહાવીર મને તારો” એમ કહેવું અને મનમાં ઇચ્છવું કે “આપો.” આ કેવું કહેવાય ? ભાર વધે તો તરાય કે ડબાય ? કહેવું કાંઈ અને ઇચ્છવું કાંઈ, - એ હૃદયની ચોરી શ્રી સર્વજ્ઞદેવ પાસે કેમ ચાલે ? સ્તવનો બોલો છો, પણ બહાર નીકળ્યા પછી એની ખુમારી નથી રહેતી એનું કારણ? કાં તો એમાં લક્ષ્ય જ નહોતું એટલે એ અનનુષ્ઠાન હતું અને કાં તો એમાં બીજા પદાર્થોની લાલસા ભળી હતી : અન્યથા એમ થાય જ નહિ. મંદિરથી બહાર નીકળ્યા પછી જો તમે જેવા હતા તેવા ને એવા જ રહો, તો માનું કે એ ક્રિયા કાં તો વિષ, ગરલ કે અનુષ્ઠાન થઈ, પણ તહેતુ નહિ. વાસ્તવિક રીતે તો મંદિરથી ઘેર જતાં પગ ન ઊપડવા જોઈએ. ઊલટું એમ થાય કે “વળી પાછો પાપમાં ક્યાં જાઉં છું ” શાસ્ત્રકાર જાણતા હતા કે :
સભાઃ ન કરે તે કરતાં સારું ને ?
આ વાત સમ્યગ્દષ્ટિની ચાલે છે. ત્યાં પોલ ન ચાલે. મિથ્યાદષ્ટિ માટે ખુલાસો કરી ગયો છું. મંદિરે આવતાં સમ્યગ્દષ્ટિના પગ જોરથી ઊપડે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org