________________
૧૨૭
-૧૫ : લોકોત્તર મિથ્યાત્વથી બચો ! - 65
-
૨૫૩
નહિ થાઓ તો ! અને એના ભોગ ક્યારે નહિ થવાય ? હૃદયમાં પ્રભુની આજ્ઞા નિશ્ચલપણે સ્થિર થશે તો ! થોડા પણ વિચક્ષણ અને વિવેકી બનો તો એ થાય.
જ્યાં જાઓ ત્યાં હાજી-હાજી” ન કરો : ન સમજાય તો અહીં પણ “નાજી' કહેતાં શીખો : જ્યાં જચે, સત્ય લાગે, ત્યાં જ હા કહેવાનું : ન જચે, સત્ય ન લાગે ત્યાં ના કહેવાનું. આટલી હામ આવે તો મિથ્યાત્વ વળગી ન શકે.
સમ્યગ્દષ્ટિ ચકોર હોય. ઇષ્ટ હોય તો જચે તો જ “હા'ભણે સારી વાતમાં જ હા'ભણે વિરોધ લાગે ત્યાં “હા તો ન જ ભણે. તમને હજી માર્ગ પ્રત્યે ખ્યાલ નથી આવતો, નહિ તો ગમે તેવો જાલી માણસ મૂંઝાવે કઈ રીતે ?
વેપારીનું જેમ કમાવાનું એક જ ધ્યેય નિશ્ચિત હોય, તેમ ધર્માનું એક ધ્યેય તો નિશ્ચિત થવું જોઈએ ને ! વેપારી ખોટથી તો દૂર જ ભાગે. તો કહો કે ધર્મીનું ધ્યેય શું ? રખડાવનાર આશ્રવ છૂટે અને તારનાર સંવર મળે એ જ કે બીજું ? એ જ હોય તો જ્યાં આશ્રવ જાય અને સંવર પોષાય, ત્યાં જ તન-મન અને ધન, - એ ત્રણે સમર્પણ કરે અને જ્યાં આશ્રવ પોષાય અને સંવર જાય ત્યાં ધર્મીનું તન પણ ન નમે, મન પણ ત્યાં ન જાય અને ધનની ફૂટી કોડી પણ ધર્મીની ત્યાં ન હોય. તમે આ વાત નહિ સમજો તો કોણ સમજશે ? શાસ્ત્ર કહ્યું કે આત્માની મુક્તિ માટે તન, મન અને ધન એ ત્રણે છોડી દેવાં જોઈએ. એ ત્રણમાંથી એક પણ રહે ત્યાં સુધી મુક્તિ આથી, પણ સાથે એ કહ્યું કે એ ત્રણ છોડવામાં, સમર્પણ કરવામાં સાવચેતી રાખવી. તેને તેવી જગ્યાએ મૂકજો, કે જેનાથી મુક્તિ અનુકુળ થાય પણ તેવી જગ્યાએ ન મૂકતા કે જેનાથી મુક્તિ પ્રતિકૂળ થાય. તન, મન અને ધન તમારાં, એનો તમે ત્યાગ કર્યો અને તેમ કરવા છતાં પણ જો મુક્તિ દૂર જાય, તો એ ત્યાગ કર્યો કહેવાય કે લુંટાઈ ગયા કહેવાય ? મુક્તિ નિકટમાં આવે તો તો ત્યાગ કર્યો કહેવાય, પણ મુક્તિ આઘી જાય તો તો લૂંટાઈ ગયા જ કહેવાઓ. થોડી થોડી પણ મુક્તિ થતી જાય તો પરિણામે મુક્તિ આવે. કૃપણ બનવાનું કે મનમોજી બનવાનું ધમેં કહ્યું નથી.
શાસ્ત્ર તો તન, મન અને ધન, – એ ત્રણેને તજવાનું કહે છે. એકનો પણ સંગ કે આશંસા ન રહે તેની કાળજી રાખવાનું આ શાસ્ત્ર ફરમાવે છે. મરતી વખતે ત્રણેની આશંસા છોડીને મરવાનું છે. આશંસા રાખવાનો કે કૃપણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org