________________
૨૫૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪
થાય ? તમે આશ્રવમાં બેઠા છો એ વાત ખરી છે, પણ આશ્રવને મીઠો માનો છો ? જો આશ્રવને મીઠો મનાય, તો તો વસ્તુનો વિપર્યાસ જ થાય. બંધન લાભપ્રદ ક્રિયાઓનાં હોય કે અનર્થકારી ક્રિયાઓનાં હોય ? વસ્તુ સમજાતી નથી માટે પ્રવૃત્તિ ઊંધી થાય છે અને માટે જ ધાર્મિક પ્રવૃત્તિમાં દિલ ચોંટતું નથી. એનું ખરું કારણ જ ‘પૌલિક સંયોગો પર છે, અનિત્ય છે, અસ્થિર છે અને અહિત કરનારા છે' - એવો હજી નિશ્ચય થયો નથી, - આ છે.
લાલસા ફરે તો અમૃત તે જ ઝેર :
સભા : ભૂલ થતી હોય તો તે અંતવ્યને ?
ભૂલ પણ એક, બે કે ચાર નભે. રોજ ભૂલ હોય ? બાર મહિનામાં બે-ચાર વાર ચોપડામાં ભૂલ થાય કે મેળ ન મળે તો શેઠ સમજે કે હોય, કોઈવાર એમ પણ બની જાય, પણ દિ’ ઊગ્યે રોજ ને રોજ મેળમાં ગોટાળો થતો હોય તો શેઠ શું કહે ? ચોર કે કંઈ બીજું ! ધર્મી રોજ અધર્મમાં પડ્યો રહે એ તો કદાચ ચાલે, પણ અધર્મને સારો કહ્યા કરે અને એમ ભૂલ કહી છૂટી જાય એ ચાલે ? જે પૌદ્ગલિક પદાર્થોને ૫૨, અનિત્ય, અસાર, અસ્થિર અને અહિતકર માન્યા, તેની ધર્મનાં ફળ તરીકે રોજ ને રોજ ઇચ્છા થાય ? દુકાન પર બેઠા છો ત્યાં તો એ ઇચ્છા કરો એ વાત જુદી છે, કેમ કે ત્યાં તો એ માટે બેઠા છો : પણ જો મંદિરમાં પણ એ ઇચ્છો તો એનો અર્થ તો એ જ કે હજી વીતરાગને ઓળખ્યા જ નથી : ઓળખીને માન્યા નથી : અને એ તારકનાં ફરમાનોને તથાપ્રકારે અમલમાં મૂક્યાં નથી કે મૂકવા ઇચ્છતા જ નથી ! જો શ્રી વીતરાગ પરમાત્માને ઓળખી લેવાય, ઓળખ્યા મુજબ મનાય, તારક પ્રત્યે શુદ્ધ શ્રદ્ધા જાગૃત થાય અને શ્રદ્ધા મુજબનો અમલ થાય, તો ત્યાં શું મગાય ? ત્યાં પૌદ્ગલિક સંજોગો ન જ મગાય. ધર્મક્રિયા જો પૌદ્ગલિક સંયોગોની લાલસાવાળી થઈ, તો એ ક્રિયા વિષ અને ગરલ થઈ જાય. ધર્મ એ ઝેર થાય. અમૃત પોતે ઝેર બને. અમર બનાવનાર તે મારનાર બને. જે ક્રિયાથી આત્મા સર્વગુણસંપન્ન સિદ્ધિપદને પામે, તે જ ક્રિયામાં આ લોક કે પરલોકના પૌદ્ગલિક સુખની લાલસારૂપ વિષ કે ગરલ ભળે, તો આત્મા સંસારમાં રૂલે. આપણે જોઈ ગયા કે વિષક્રિયા, ગરલક્રિયા અને અનનુષ્ઠાન એટલે ગાડર ક્રિયા, - એ ત્રણે મિથ્યાદૃષ્ટિને હોય, તમે તો સમ્યગ્દષ્ટિ ખરાને ? વ્યવહારથી પરસ્પર પૂછો, એના કરતાં આત્માને એકાંતે પૂછી નિશ્ચય કરો. એ ક્યારે બનશે ? વિપરીત વાતાવરણના ભોગ
Jain Education International
992
For Private & Personal Use Only
www.jainelibrary.org