________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - 8
કારણ કે ‘આશ્રવ’ એ સંસારનું કારણ છે અને ‘સંવર’ એ મોક્ષનું કારણ છે. આથી જ શ્રી જિનેશ્વર ભગવંતોએ આ બે આજ્ઞા મુખ્યરૂપે બતાવી છે. અને આ બે આજ્ઞાને સમજાવવા જ બીજો બધો વિસ્તાર વર્ણવ્યો છે.
૨૫૦
990
આથી સમજી શકાય તેમ છે કે શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા એક જ છે કે ‘સંસારમાં રખડાવનાર મિથ્યાત્વ આદિ આશ્રવનો સર્વ પ્રકારે, એટલે મનથી, વચનથી અને કાયાથી ‘ક૨વો, કરાવવો કે અનુમોદવો' - એ ત્રણે રૂપે ત્યાગ જ કરવો જોઈએ અને મોક્ષમાં લઈ જનાર સમ્યક્ત્વ આદિ સંવરનો સર્વ પ્રકારે એટલે મનથી, વચનથી અને કાયાથી ‘ક૨વો, કરાવવો કે અનુમોદવો’ - એ ત્રણે રૂપે અંગીકાર કરવો એ જ યોગ્ય છે.’
પ્રવૃત્તિનો વિરોધ કે ચાલબાજી ?
હવે વિચારો કે ‘આશ્રવોનો ઉપદેશ, એટલે જેનાથી સંસારમાં રખડાવનાર આશ્રવની પ્રવૃત્તિ વધે અને આત્મા એવા જ આશ્રવની પ્રવૃત્તિમાં રત થાય, એવો ઉપદેશ આપનાર ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાના આરાધક ગણાય કે વિરાધક ? પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ, - એ આશ્રવ કે સંવર ? એ પાંચેયને છોડવાનું કહેવાય કે લેવાનું ? એ પાંચમાંથી એકને પણ લેવાનું કહે તે કેવો ? એ પાંચેયને અગર પાંચમાંથી એકને પણ પોષણ આપે અને પાંચેયને અથવા એ પાંચમાંથી એકને પણ કહેનારને જે સારા કહે તે કેવો ? આજ્ઞાનો આરાધક કે વિરાધક ?' એ પાંચના અગર પાંચમાંના એકના પણ પોષણમાં જિનાજ્ઞા છે એમ જે કહે, તે તો આપોઆપ જ બહાર નીકળી જાય છે. માટે જ એમના બોલો તમે અહીં કહો એમાં મજા ન આવે. તમે તો પાછા ખસી જાઓ. એ બોલનારા આવે તો વાત કરવાની મજા આવે. ‘પ્રવૃત્તિનો વિરોધ’ અને એવી યુક્તિઓ તો તમને ભરમાવવાની ચાલબાજી છે, પણ જો તમે અભ્યાસી બનો, તો તમારાથી પણ તેઓ ભાગશે. જો એ લોકો આશ્રવને આશ્રવ અને સંવરને સંવર કહેતા હોય, તો પછી વિરોધ જ ક્યાં છે ? અરે, દુનિયાનો કસાઈ પણ જો કહે કે ઘાત એ આશ્રવ છે અને ઘાતથી છૂટવું તે સંવર છે, તો તે પણ અમારો તો મિત્ર છે, કારણ કે દુનિયાના કસાઈ, ઘાતકી કે લૂંટારા સાથે પણ અમને અપ્રેમ (દ્વેષ) નથી. એ એમ કહે કે ‘પાપાત્મા છું, કારણ કે મારાથી આ હિંસાથી કે લૂંટ વગેરેથી છુટાતું નથી, ક્યારે સમય આવે ને આ દુષ્ટ ધાંધલોથી છૂટું' - તો હું તો એને પણ કહું કે ‘તું પણ શુદ્ધ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International