SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ શe – ૧૫ : લોકોત્તર મિથ્યાત્વથી બચો ! - 65 – ૨૪૯ તેઓ એમ કહે છે' - એમ તમે કહો એમાં ફાયદો શો ? એ તો તમે પારકું બોલ્યા. એમ કહેનાર આવે તો વાત કરવામાં પણ વધુ રસ આવે. આ તો તમે પારકું બોલો તે પાછા ખસી પણ જાઓ. વારુ ! સિદ્ધાંતાનુસારી પ્રવૃત્તિ સામે વિરોધ છે ? જો સિદ્ધાંતથી વિપરીત પ્રવૃત્તિ સામે વિરોધ હોય, તો તો અમે પણ એમાં સંમત જ છીએ, પણ આ પ્રશ્નકાર ભાઈને હજી ખબર નથી કે “પ્રવૃત્તિ એમ લખીને તો એ લોકો ભ્રમમાં નાખવા માગે છે. અરે, તેઓ તો એમ પણ કહે છે કે “અમે ભગવાનની આજ્ઞા ક્યાં નથી માનતા?” પણ તેઓને એમ પૂછો કે “પ્રભુની આજ્ઞા શી હોઈ શકે ?” એ જાણવાનો આજ સુધી અભ્યાસ કર્યો છે?” આ પ્રશ્નના ઉત્તરમાં કશો જ વાજબી જવાબ નહિ મળે. આથી તમે સમજો કે ભગવાનની મુખ્ય એક જ આશા છે કે “આશ્રવ સર્વથા હેય છે અને સંવર ઉપાદેય છે.' શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા એવી મજાની છે કે એ સમજાઈ જાય તો બધું જ સમજાઈ જાય. અને એ રીતે સમજાવવા માટે જ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, શ્રી વીતરાગદેવની સ્તુતિ કરતાં કહે “ગતિબિયની તે, વિનોદરા. આવઃ સર્વથા ય, સાવ સંવરઃ III आश्रवो भवहेतुः स्यात्, संवरो मोक्षकारणम् । તમાહતીબુષ્ટિ રચવા પ્રાર્થનમ્ પારા” “ભગવન્! હેય-ઉપાદેયનો વિષય કરનારી સદા કાળ માટેની તારી આશા છે આશ્રય સર્વથા હેય છે, અને સંવર ઉપાદેય છે.” “આશ્રય' એ સંસારનું કારણ છે અને “સંવર' એ મોક્ષનું કારણ છે. આ જ શ્રી અરિહંત ભગવાનની મુખ્ય આશા છે અને બીજું જે કાંઈ છે, તે એ આશાનો જ વિસ્તાર છે.” હે ભગવન્! ત્રણે કાલને માટે આપની આજ્ઞા હેય અને ઉપાયેદનો જ વિષય કરનારી છે , એટલે કે આપની આજ્ઞા બે પ્રકારની છે : એક તો હેય વસ્તુનું પ્રતિપાદન કરનારી, અને બીજી ઉપાદેયનું પ્રતિપાદન કરનારી અર્થાત્ આપે હેયનું અને ઉપાદેયનું પ્રતિપાદન કરતાં ફરમાવ્યું છે કે “કષાય, વિષય, દુષ્ટ યોગો, પ્રમાદ, અવિરતિ અને મિથ્યાત્વરૂપ આશ્રવ સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે અને ક્ષમા, માદવ, આર્જવ, સંતોષ, સંયમ, ગુપ્તિત્રય, અપ્રમાદ, વિરતિ, સમ્યકત્વ અને શુભ ધ્યાનરૂપ સંવર સર્વથા અંગીકાર કરવા યોગ્ય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy