________________
૨૪૮
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
–
૩
જેઓ આજે દયાના નામે ધર્મ અને ધર્મક્રિયાઓ સામે વિરોધ કરે છે, તેઓ દુનિયાના પાપીને બચાવવા માટે એક પણ પ્રયત્ન કરતા નથી એટલે જ કહેવું પડે છે કે “આજના એ દયાળુ એટલે એ વાસ્તવિક દયાળુ નથી, પણ દયાનો ડોળ કરનારા છે : અન્યથા દયાની લાંબીચોડી વાતો કરનારા ધર્મનો વિરોધ કરે ? નહિ જ, પણ તેઓ તો દયાના બહાને પોતાની ખોટી પણ વાતોને સાચી બનાવવાનો દંભ કરે છે, પણ તેમ કરતાં તેઓ ભૂલી જાય છે કે ઠેઠ સુધી દંભનો જય કોઈ પણ કાળે ન જ હોય અને એથી જ એમની દયા એમને જ ખાય છે અને એમના પંજામાં જે ફસે તેઓને પણ ખાય છે. કહેવત છે કે “દયા ડાકણને ખાય'તે આવી જ દયાને માટે હોવું જોઈએ. અરે, ડાકણ પણ એક ઘર તો છોડે, પણ આ લોકની દયાએ તો તે પણ ન છોડ્યું. પ્રભુના શાસનને પણ ન છોડ્યું. દુનિયામાં ચાલી રહેલ અનીતિ, અન્યાય, પ્રપંચ, પાપ એ બધાને રોકવા એ દયાળુઓએ, દયાનો ડોળ કરતી સંસ્થાઓએ, એક પણ પ્રયત્ન કર્યો છે ? એ બધાની કાર્યવાહીઓ સ્વર્ગગામિની અને માત્ર નરકગામિની ક્રિયા જ અહીં છે એમ ? એ કમનસીબોને એટલી પણ ખબર નથી કે “જ્ઞાનીએ શાસન સ્થાપ્યું શા માટે ?” સમજવું હોય તો સમજે કે દુનિયાના ચોટ્ટાઓને શાહ બનાવવા, હિંસકોને અહિંસક બનાવવા, મૃષાવાદીઓને સત્યવાદી બનાવવા ને અનાચારીઓને સદાચારી બનાવવા તથા એ રીતના બનાવી, સંસારથી છોડાવી, મુક્તિમાં પહોંચાડવા માટે જ એ પરમ ઉપકારી જ્ઞાનીઓએ આ શાસન સ્થાપ્યું છે. એટલે આ શાસનમાં જે જે આવે છે તે અહિંસક બને અને એના પરિણામે એનામાંથી હિંસા, મૃષા વગેરે વગેરે સઘળાય અનાચારો ચાલ્યા જાય. કોઈ હીણભાગીની વાત જુદી છે અને એ માટે સૂત્રકાર મહારાજા કહી પણ ગયા કે એવાને તો પ્રભુની દેશના પણ ફળતી નથી. આથી સમજાશે કે પ્રભુએ દુનિયાનાં પાપને ઘટાડવા માટે જ ધર્મ સ્થાપ્યો છે. જે ધર્મ દુનિયાને પાપથી બચાવે, પ્રાણીઓને પાપથી પાછાં હઠાવે, તે ધર્મની સામે વિરોધ એ દયા કેવી?દયાને બરાબર ઓળખો!
દુનિયાના દુઃખીની દયાને શાસ્ત્ર દ્રવ્યદયા કહી અને અધર્મ આચરતા આત્માને જોઈ તે દુર્ગતિમાં ન જાય તેવા પ્રયત્ન કરવા, તેને ભાવદયા કહી. આ બધી વસ્તુને બરાબર વિચારો અને સમજો. આશ્રવ હેય અને સંવર ઉપાદેય એ જ જિનાજ્ઞા : સભા : એ વિરોધીઓ કહે છે કે “અમને સિદ્ધાંત સામે વિરોધ નથી, પણ પ્રવૃત્તિ સામે
અમારો વિરોધ છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org