________________
1
-
: લોકોત્તર મિથ્યાત્વથી બચો ! - 65 --
-
૨૪૭
હિતકર માની ધર્મના ફળ તરીકે ઇચ્છે, તો તો જુલમ જ થઈ જાય ને? પૂજા વીતરાગની અને ફળ માગવું રાગનું? સેવા નિગ્રંથની અને ઇચ્છા ગ્રંથિની ? એ જ લોકોત્તર મિથ્યાત્વ છે ને ? અધર્મી પ્રત્યેની દયા તે ભાવદયા : સભા પ્રશસ્ત કોટિમાં એ ન આવે?
આમાં પ્રશસ્તપણું છે ક્યાં? આમાં તો તદ્દન વિપરીતતા છે. શ્રી વીતરાગદેવની મૂર્તિ પ્રત્યે રાગ એમાં પ્રશસ્તપણું ખરું, કારણ કે એ વીતરાગતાનું કારણ છે : એ જ રીતે આગમ પ્રત્યેના, મુનિવરો પ્રત્યેના રાગને પ્રશસ્ત રાગ કહેવાય, કારણ કે એ રાગ પણ આત્મગુણોને પ્રગટ કરવામાં હેતુભૂત છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન વગેરે બધું જ પ્રશસ્ત હોઈ શકે, પણ એનું સ્વરૂપ સમજાય તો જ! ધર્મી નિર્ણય કરે કે કુદેવ, કુગુરુ અને કુધર્મને ન નમું : એ જો માન ગણાતું હોય તો તે પ્રશસ્ત માન છે, કારણ કે હું નમું તો સુદેવ, સુગુરુ અને સુધર્મને જ નમું પણ બીજે તો ન જ નમું : એ દેખાતું અભિમાન છે, પણ તે પ્રશસ્ત છે. એ જ રીતે જો પૌગલિક પદાર્થોનો સંયોગ યોગ્ય હોત, કલ્યાણકર હોત, તો તો તેને પણ પ્રશસ્ત કહેત, પણ તે યોગ્ય નથી અને કલ્યાણકર પણ નથી ! માટે પરમવીતરાગ શ્રી તીર્થંકર પરમાત્મા તથા નિર્ગથ ગુરુદેવોની સેવામાં એની લાલસા આવે, તો મિથ્યાત્વ ઘર કરી જાય અને મિથ્યાત્વયોગે તહેતુ ક્રિયા થઈ શકતી નથી તથા એ ક્રિયા ન આવે ત્યાં સુધી ધર્મક્રિયા વાસ્તવિક રીતે ફળતી નથી. “વાત વાતમાં પૌગલિક ઇચ્છા કેમ થાય છે ?' - આ પ્રશ્નનો એ જ ઉત્તર છે કે ‘ક્રિયાના હેતુ તરફથી દષ્ટિ ખસી ગઈ છે, એનું જ આ પરિણામ છે.” ખરેખર, મોટે ભાગે ધર્મક્રિયામાં પણ વ્યવહાર (લોકવ્યવહાર) મુખ્ય મનાઈ જવા લાગ્યો છે. ધર્મક્રિયા કરતાં જે હેતુ તરફ દૃષ્ટિ જોઈએ તે હેતુ નથી આવ્યો, માટે જ આજના ધર્મ ગણાતા એવા પણ મોટા ભાગને, ધર્મક્રિયા કરતાં વ્યવહારક્રિયામાં રસ બહુ આવે છે.
મોઢે કહે કે “ધર્મ જ સાર.” કોઈ મરી જાય તો કાગળમાં પણ લખે છે કે પાંચમો આરો ઘણો કઠણ છે, ધર્મ કરશે તે જ સુખી થશે' - આ રીતે વાતો બધી કરે, પણ ચોવીસે કલાકની પ્રવૃત્તિમાં ધર્મનો છાંટોયે ન હોય, કેમ કે હેતુ ફરી ગયો છે : નહિ તો પાંચમા આરાએ કઠણ તથા ધર્મને સાર માનનાર આત્મા, ધર્મ પાછળ કેટલા પ્રેમથી પડ્યો હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org