________________
૧૫ : લોકોત્તર મિથ્યાત્વથી બચો!
લોકોત્તર મિથ્યાત્વ :
સૂત્રકારમહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા સમજાવી ગયા કે શ્રી તીર્થંકરદેવ પણ સ્વર્ગ, અપવર્ગ તથા તેનાં કારણોને અને સંસાર તથા તેનાં કારણોને જાણ્યા પછી જ ધર્મનું કથન કરે છે. વળી શ્રી તીર્થંકરદેવો, સામાન્ય કેવળજ્ઞાની મહર્ષિઓ તથા શ્રુતકેવળી ભગવાનો, કે જેઓએ ‘શસ્ત્રપરિજ્ઞા' અધ્યયનમાં કહેલા જીવાદિકના સ્વરૂપને સમ્યક્ પ્રકારે જાણેલ છે, તેઓ જ સ્વતંત્રપણે ધર્મનું નિરૂપણ કરી શકે છે, પણ બીજા નહિ : બીજાઓને જો કરવું હોય તો તે તારકના કથનને અનુસરીને જ કરી શકે છે. વધુમાં પરમ ઉપકારી સૂત્રકાર મહારાજ એ પણ સમજાવી ગયા કે શ્રી તીર્થંકરદેવ જેવા ધર્મદેશના દેનાર છતાં પણ, પ્રબળ મોહથી વીંટાયેલા આત્માઓ ધર્મ પામી શકતા નથી. દેશના દેનાર ખુદ શ્રી તીર્થંકરદેવ, એ તારકના અતિશયમાં જરા પણ મણા નહિ, તે છતાંય મોહાધીન આત્માઓ ધર્મને આરાધી શકતા નથી. ખરેખર, મોહનો મહિમા બળવત્તર છે. મોહના યોગે ધર્મની પ્રાપ્તિ જ કઠિન છે, તો એ જ મોહ જો ધર્મની સેવામાં (ક્રિયા પ્રસંગે) પ્રવેશે, તો અનર્થ કેમ ન મચાવે ? ધર્મક્રિયા કરતી વખતે જો મોહ બળવાન થાય, તો તે વખતે મોક્ષસાધક ક્રિયા પણ તદ્ભુતુ મટી, કોઈ જુદા જ હેતુ માટે થઈ જાય છે. આથી ધર્મક્રિયા કરતાં એના ફળ તરીકે પૌદ્ગલિક લાલસા ન જ હોવી જોઈએ, એનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. જો એ વખતે એ લાલસા થાય, તો એ લાલસા - મોહ, આત્માના સમ્યક્ત્વને દૂષિત પણ કરે અને પરિણામે વિનાશ પણ કરે. જે પૌદ્ગલિક સંયોગોને સમ્યગ્દષ્ટિ આત્મા, પોતાથી ૫૨ માને - અનિત્ય માને - અસ્થિર માને અને પરિણામે અહિત કરનારા માને, તે જ પૌદ્ગલિક સંયોગોને, તે આત્મા ધર્મના ફળ તરીકે મોહનું બળ વધ્યા વિના કેમ ઇચ્છે ? પૌદ્ગલિક પદાર્થોને પોતાના માને અને હિતકર માને તો સમ્યકૃત્વ રહી શકે ખરું ? આત્મા સ્વ અને પુદ્ગલ પર જણાય, એ તો સમ્યક્ત્વનો ગુણ છે અને તો જ સમ્યક્ત્વ ફળે : આ સ્થિતિ છતાં પોતાને સમ્યગ્દષ્ટિ મનાવતો આત્મા, પૌદ્ગલિક સંયોગોને પોતાના અને
ન
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International