________________
૧૫ લોકોતર મિથ્યાત્વથી બચો.
65
૦ લોકોત્તર મિથ્યાત્વ :
• લાલસા ફેર તો અમૃત તે ઝેર : અધર્મ પ્રત્યેની દયા તે ભાવદયા :
• શાસ્ત્રકાર જાણતા હતા કે : ૦ આશ્રવ હેય અને સંવર ઉપાદેય એ જ જિનાજ્ઞા : ૯ પાપક્રિયા કરતાં આત્માને રોકો ! • પ્રવૃત્તિનો વિરોધ કે ચાલબાજી ?
• અપવાદ શા માટે ? • એમ તે જવાબદારી જાય ?
• કેટલીક શંકાઓ ને સમાધાનો!
વિષયઃ લૌકિક કરતાં લોકોત્તરમિથ્યાત્વવધુભૂંડું. એના ત્યાગવિના ધર્મનઆરાધાય.
અમૃતક્રિયા લાવવા તદૂતક્રિયા કરવી અનિવાર્ય છે, પરંતુ અર્થ-કામની અર્થાત્ સંસારની લાલસા, વાસના ધર્મકિયાને તદૂત બનવા દેતી નથી. મોક્ષ માટે જ ધર્મ સ્થાપનાર પરમાત્મા કે મોક્ષાર્થે જ સંયમ સાધતા સાધુ પાસે સંસાર માંગવો એ લોકોત્તર કોટિનું મિથ્યાત્વ છે. આ વાતના અનુસંધાનમાં દ્રવ્યદયા અને ભાવદયાનો વિવેક, આશ્રવ હેય અને સંવર ઉપાદેય આ જ જિનાજ્ઞા અને બાકી બધો એનો જ વિસ્તાર, દરેક ક્રિયાની મૂળગામી તપાસ કરી, વિચાર કરી વિવેક કરાય તો જ સારી પણ ક્રિયા ફળે, એક પાપ સેંકડો પાપ કરાવે, મૂળને પોષે તે અપવાદ, સાવદ્ય અને નિરવદ્ય ક્રિયા એટલે શું અને પરિણામનું મહત્ત્વ આદિ બાબતો સમજાવતાં એક સ્થળે ખૂબ જ મજાની વાત કરી પ્રવચન પૂર્ણ કર્યું છે: “ત્યાગ માટે હજી રાગ કરવાની છૂટ છે પણ રાગ માટે ત્યાગની છૂટ નથી.”
મુવાક્ષાવૃત • પૂજા વીતરાગની અને ફળ માગવું રાગનું ? સેવા નિગ્રંથની અને ઇચ્છા ગ્રંથિની ? એ જ
લોકોત્તર મિથ્યાત્વ ! • પ્રભુએ દુનિયાનાં પાપને ઘટાડવા માટે જ ધર્મ સ્થાપ્યો છે. • દુનિયાનો કસાઈ પણ જો કહે કે “ઘાત એ આશ્રવ છે અને ઘાતથી છૂટવું તે સંવર છે, તો તે પણ અમારો
તો મિત્ર છે, કારણ કે દુનિયાના કસાઈ, ઘાતકી કે લૂંટારા સાથે પણ અમને અપ્રેમ (દ્રષ) નથી. • જેનાથી આશ્રવ ઘટે, આશ્રવના પંજામાં ફસેલા જેનાથી છૂટે અને સંવર આદરે તેવું શિક્ષણ,
તેવી કેળવણી અને તેવી પ્રવૃત્તિનો પ્રચાર કરવાની સમ્યગ્દષ્ટિ માત્રની ફરજ છે. • આત્માની મુક્તિ માટે તન, મન અને ધન એ ત્રણે છોડી દેવાં જોઈએ. એ ત્રણમાંથી એક પણ
રહે ત્યાં સુધી મુક્તિ આવી. • દેવ, ગુરુ અને ધર્મની સેવા, ઉપાસનાના પરિણામે પદ્ગલિક સુખની ઇચ્છામાં આત્મા ફસ્યો,
એટલે એ સંવરથી ખસી આશ્રવમાં ફસ્યો અને બચવાની બારી બંધ થઈ. • મંદિરથી બહાર નીકળ્યા પછી જ તમે જેવા હતા તેવા ને એવા જ રહો, તો માનું કે એ ક્રિયા
કાં તો વિષ, ગરલ કે અનનુષ્ઠાન થઈ પણ તદ્હેતું નહિ. • સારામાં પણ એક દુર્ગુણ આવ્યો, પછી ગબડતાં વાર કેટલી ? ૦ આત્માને માને, પાપને માને, પરલોકને માને, સ્વર્ગ અને નરકને માને, ને ઇરાદાપૂર્વક પાપનો
ઉપદેશ કરે તે નાસ્તિક નહિ પણ મહાનાસ્તિક ! • સાવઘપુષ્ટિ માટે થતી નિરવદ્ય ક્રિયા પણ સાવદ્ય નિરવઘ પુષ્ટિ માટે થતી સાવદ્ય ક્રિયા પણ નિરવઘ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org