________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪
થાય તે પહેલાં ચડી જાય ને ? રોતાં મૂકીને ચડે ને ? પછી પણ હાથથી આવજો કરી લે. એમાં જો ‘હાય બાપરે ! રુએ છે, મારાથી કેમ જવાય ?' - એમ થાય અને ચક્કર આવે તો ગબડેને ? સ્ટીમર માટે પણ એ કાયદો તો ધર્મ-સ્ટીમર માટે પણ બધું જ હૈયાથી કાઢવું પડશે ને ? એકલી દીક્ષાની જ વાત નથી હોં ! દીક્ષા તો સર્વોત્તમ છે, પણ હજી તો ધર્મની વાત છે. ધર્મરક્ષા વખતે કાકા-મામા ન કરાય. દુનિયામાં મિત્ર ગણાતા પણ ધર્મમાં વિઘ્ન કરે, તો તે આપણા અમિત્ર અને વ્યવહારમાં દુશ્મન દેખાતા પણ જો ધર્મમાં સહાય કરે, તો એ મિત્ર, ભાઈ, સંબંધી, બધું. ‘ધર્મ સચવાવે તે અમારા સંબંધી અને ધર્મ કરતાં સતાવે તે અમારા સંબંધી નહિ, પણ એ અમારા હિતશત્રુ' - આ ભાવના જોઈએ. સિદ્ધાંતવિરોધીથી અલગ રહેવું એ વસ્તુતઃ કુસંપ જ નથી. એને કુસંપ કહેનારાઓમાં મિથ્યાત્વની ભાવના જીવતી અને જાગતી જ છે, એમ માન્યે જ છૂટકો છે ઃ અને અમૃતક્રિયામાં અસાધારણ કારણરૂપ તદ્ભુતુ ક્રિયા કરવા માટે આ બધું સમજ્યા વિના કોઈ ઉપાય જ નથી.
૨૪૪
Jain Education International
For Private & Personal Use Only
984
www.jainelibrary.org