________________
૧૪ : ધ્યેયશુદ્ધિની આવશ્યક્ત
વિરોધીથી અલગ થવું, એ કુસંપ કરાવવાની ક્રિયા નથી, પણ કુસંપથી બચવાની ક્રિયા છે ઃ છતાં તમે પણ એવા કે બહાર જઈ ફસાઈ પડો છો. પેલા તમને કહે
:
983
-
64
કે ‘જુઓને કુસંપ થાય છે’ – તો તમે ‘હાએ હા' કરો, પણ પેલાને સમજાવો નહિ કે ‘એ કુસંપ નથી.' તમે બહાર જઈને આવું ન સમજાવો તો અનર્થ થાય જ ને ? ભાઈ-ભાઈ કે બાપ-દીકરાને લડવા-વઢવાનું હું કહું છું ?
Jain Education International
૨૪૩
સભા : નહિ જ.
તમારો ૫૨સ્પ૨નો માર્ગ વાંકો હોય માટે લડાઈ થાય તેમાં મને શું ? ચોપડો સાચો છતાં બે આડતિયા ન માને અને વઢે, તેમાં ચોપડો શું કરે ? ચોપડાને માને તો લડત શી ? પેલો કહે કે ‘ચોપડો ભલે કહે, પણ મારે ઓછા આપવા છે.’ પેલો કહે કે ‘મારે એથીયે વધારે લેવા છે !' – આમાં લડાઈ થાય, ત્યાં ‘ચોપડો ક્યાં વચ્ચે આવ્યો કે મારામારી થઈ' - એમ કહેવાય ?સાંભળનારમાં ગ્રહણબુદ્ધિ ન હોય, સાચા-ખોટાનો વિવેક કરવાની શક્તિ ન હોય, તો હું તો શું પણ શ્રી તીર્થંકરદેવ પણ એને સમજાવી ન શકે અને તારી પણ ન શકે.
શ્રી તીર્થંકરદેવ પણ સંભળાવે કોને ? સંજ્ઞી પંચેન્દ્રિયને. વાણી તો જોજનગામિની. અવાજ કેવો હશે ? પણ ચઉરિંદ્રિય સાંભળી શકે ? નહિ, કારણ કે જેને સાંભળવાનું સાધન નથી એને કહે શું ? બૂમ મારે તોય એને લાભ શો ? અસંજ્ઞી સાંભળે તો પણ નકામું. જેનામાં સાંભળવાની શક્તિ નથી, વિચારવાની શક્તિ નથી, સાચા-ખોટાનો વિવેક ક૨વાની શક્તિ નથી, એને શ્રી તીર્થંકરદેવ પણ તારી ન શકે. સાંભળતાં શીખવું પડશે : વિચારતાં શીખવું પડશે : સાચા-ખોટાનો વિવેક કરતાં શીખવું પડશે : અને તો જ શ્રી તીર્થંકરદેવ પણ તારક બને, આગમ પણ તારક બને અને સાધુ પણ તા૨ક બને. શ્રી જિનેશ્વરદેવનો માર્ગ સાચો, સારો અને સ્વીકારવા યોગ્ય લાગે તો આવો, નહિ તો બંધાયેલા છો ? સ્ટીમર ગમે તેવી રૂપાળી હોય, પણ તળિયે કાણી હોય તો શા કામની ? કશા જ કામની નહિ, કારણ કે એ તળિયાનું કાણું તો બેસનારને ડુબાડે. એ જોવાનું કામ બેસનારનું છે. યોગ્ય લાગે તો બેસો. અહીં કે તહીં જ્યાં યોગ્ય લાગે ત્યાં બેસો, પણ જ્યાં બેસો ત્યાં સીધા બેસોને ! સ્ટીમર સારી લાગ્યા પછી એમાં બેસાય ક્યારે ? મૂકવા આવેલાં સગાંવહાલાં રોતાં હોય એને મૂકીને પગ ઉપાડવાની હામ હોય તો ને ? ગામ છોડી, ગાડીમાં બેસી ઠેઠ બંદર પર આવે. એ વખતે બાપાજી વગેરે રુએ તો ખરા, પણ સ્ટીમર ચાલવાનો વખત
For Private & Personal Use Only
www.jainelibrary.org