________________
૨૪૨ –––– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -- ૪
-
982
સમાધાનમાં મધ્યસ્થ જોઈએ એમ કહેવાય છે. એ મધ્યસ્થ કયા? મધ્યસ્થનો અર્થ સમજો. જજ મધ્યસ્થ ક્યાં સુધી રહે ? જજમેન્ટ લખવા ન બેસે ત્યાં સુધી. લખવા માંડે પછી મધ્યસ્થ બને ? જજમેન્ટ લખવા જેવી સ્થિતિ ન આવે, ત્યાં સુધી તો બેય પક્ષને પ્રેમથી જુએ. એકસરખી રીતે સાંભળે. ત્યાં સુધી બરાબર મધ્યસ્થ. વાદીને, પ્રતિવાદીને, વકીલોને અને સાક્ષીઓને બરાબર સાંભળે, શાંતિપૂર્વક સાંભળે, બનતાં સુધી એ વચ્ચે બોલે નહિ, મરજી હોય તો થોડું પૂછે પણ મોટી કોર્ટોમાં તો બહુ મહત્ત્વનું લાગે તો જ જજ પૂછે : તે પણ ભયંકર આરોપીને પણ રીતસર જ પૂછે, કેમ કે હજી એ મધ્યસ્થ છે. પણ વકીલો કહે કે “બોલી રહ્યા, તમામની જુબાનીઓ પૂરી થઈ,' પછી જજમેન્ટ લખવા બેસે ત્યારે એ મધ્યસ્થ બને ? આરોપીએ તલવાર ઉગામી અને માથું સામાએ ફેરવ્યું, એવો ન્યાય આપવાની મધ્યસ્થતા કરે ? વાદીનું લાખનું લેણું સાચું છે એમ ખાતરી થાય તો પચાસ હજાર તારા જાય અને પચાસ હજાર એના જાય, એવી મધ્યસ્થતા કરી પચાસ હજારનું હુકમનામું કરે એમ બને ? અરે, જજમેન્ટ વખતે તો જજ એવા શબ્દો લખે કે જે સાંભળી ગુનેગારને ધ્રુજારી છૂટે આરોપ સાબિત થયા પછી મધ્યસ્થતા નહિ. જજમેન્ટ એકતરફી હોય કે બેય તરફનું ? આરોપ સાબિત થયા પછી તો ઝાંઝરિયાં, બેડી, જેલ, દંડ જે યોગ્ય હોય તે સજા જજ કરે. તેમ અહીં પણ સમજ્યા પછી મધ્યસ્થ ન રહેવાય. સમજ્યા પછી મધ્યસ્થ રહે તો માનવું કે ભયંકર ધૂની પેદા થયો. મોટા જજ તો એવા હોય છે કે બને ત્યાં સુધી લોકોના પરિચયમાં પણ બહુ ન આવે. આવા મધ્યસ્થ રહે, છતાં ટેબલ પર પડેલા રેકર્ડના આધારે ન્યાય તો હોય તેવો ચૂકવે, પણ ત્યાં મધ્યસ્થ ન રહે અને જો ત્યાં મધ્યસ્થ રહે તો એ ન્યાયાસનની ખુરશી પર બેસવા લાયક ખરો ? કહેવું જ પડશે કે નહિ જ. તેમ અહીં પણ સમજાયા પછી તટસ્થ ન રહેવાય : ન સમજાય ત્યાં સુધી રહે. સમજવા અભ્યાસ કરે, ક્યાંય રાગદ્વેષ ન કરે, પણ સમજાયા પછી તો સત્ય લાગે તેનો સ્વીકાર કરવો જોઈએ. પછી તટસ્થ ન જ રહેવાય.
સભા: એ રીતે તટસ્થ રહેનાર તો આજે શાણા કહેવાય છે !
ગાંડાઓ તો થોડા પણ ફેવરમાં આવતા હોય તેને શાણા જ કહે ને ? હવે મધ્યસ્થ કોને કહેવાય એ તો સમજ્યા ને? આ ન્યાય છે. વ્યવહારમાં આ ન્યાય પ્રત્યક્ષ છે. એ ન્યાય સ્વીકારો છો, પણ જીવનમાં નથી ઉતારતા. સિદ્ધાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org