________________
ગ
- ૧૪ : ધ્યેયશુદ્ધિની આવશ્યક્ત - 64
–
૨૪૧
કે તમારા ઉદ્દેશ મને માન્ય નથી અને તમારી સાથે બેસવા-ઊઠવાનો જે કાંઈ સંબંધ છે તે બન્યો રહે તે માટે હું અલગ થાઉં છું.” આ સંપ કરનારો કે કુસંપ ? વ્યવહાર પણ કહે છે કે “મિત્રાચારી રાખવી હોય તો મિત્રની સાથે કંચનકામિનીનો વ્યવહાર ન રાખવો. જો મિત્ર સાથેની મિત્રાચારીમાં પણ એ વ્યવહાર ન રખાય, તો ધર્મ સાથે સંબંધ રાખવો હોય તો કંચન-કામિનીથી રસપૂર્વક વ્યવહાર રાખવો એ કેમ પાલવે ? જ્યાં જે ચીજ મૂકવી જોઈએ ત્યાં તે ન મુકાય તે કેમ નભે ? આનો અર્થ કુસંપ નથી પરંતુ કુસંપનો સમય ન આવે એની તૈયારી છે. વસ્તુની સમજણનો ભેદ છે, માટે કુસંપનો વખત ન આવે તે પહેલાં અલગ થવું, તે સંપ કે કુસંપ ? હિસાબ કરતી વખતે આડતિયા મનઃકલ્પિત વાત ન કરે. આડતિયો ગમે તેવો તર્કશાસ્ત્રી હોય, પણ હિસાબ વખતે તો એ ચોપડાનાં પાનાં કાઢે, ખાતું કાઢે, ચોપડા કહે તે લેણું-દેણું-વ્યાજ વગેરે સમજે ત્યાં મોઢે બોલ્યું કામ ન આવે. કોર્ટમાં કેસ ચાલે તે કેસને લગતા કાગળોના આધારે કે મતિકલ્પનાથી ? એ કાગળિયાંના પુરાવા ચાલે કે નવા બુટ્ટા ઉઠાવાય ? જેમ ત્યાં કેસને લગતા પુરાવા જોઈએ, તેમ આગમમાં પણ પ્રતિકલ્પના ન ચાલે. જ્યાં આગમમાં પણ પ્રતિકલ્પના ઘુસાડવાની વૃત્તિ ત્યાં ઝઘડો. આગમના માનવાવાળા આગમ તરફ અને મતિને માનવાવાળા તે તરફ, એમ અલગ થાય તો કુસંપ થાય? એકબીજા ભેળા રહી પરસ્પર દબાણ કરે તો કુસંપ, એવા કુસંપથી અલગ રહેવું એ તો સંપ જ છે. તટસ્થ ક્યારે કહેવાય?
સભા : કોઈ તટસ્થ રહે તો?
જેને સાચા-ખોટાની માહિતી ન હોય તેને તટસ્થ રહેવાની છૂટ છે : તે તટસ્થ રહી શકે ? પણ જે જાણી શકતો હોય તે તટસ્થ રહે એ તો ભયંકર છે. એ તો દહીં-દૂધિયો. એ જ વધુ વિખૂટા પડાવે. “અહીં પણ હા અને તહીં પણ હા' - એનો અર્થ શો ? “કાકા-મામા' બેય પક્ષમાં હોય. આ આવે તો એને પણ કહે હું તો તમારો છું, અને પેલાને પણ એમ જ કહે ! બેય ઠેકાણે ખવાય એવું રાખે. આવા માણસને કેવો કહેવો ? ખરેખર, સાચા અને ખોટા વચ્ચે તટસ્થ રહે છે તે તો વસ્તુતઃ મૂર્ખ છે. ન સમજે ત્યાં સુધી તટસ્થ રહે એ વાત જુદી, પણ સમજ્યા છતાય તટસ્થ રહે એ તો મૂર્ખ ! એવા તટસ્થ વધુ વિખવાદ કરાવે. એવા વચલા સમાધાન ન કરી શકે. એ તો નાશ પમાડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org