________________
૨૪૦
-
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
020
ઉઘાડી આંખે એમ ન ચાલે. એને એમ થાય કે “અહીં ને અહીં ફરવાનું? નહિ ફરું. એને એમ ગોળ ચલાવવા માટે પાટા બાંધવા પડે : પાટા પણ એવા બાંધે, એવી રીતે બાંધે કે એને એમ લાગે કે હું આગળ ચાલું છું, પણ એ તો હોય ત્યાં ને ત્યાં !
સભા: અમારી માફક !
તમે તો છતી આંખે તેમ કરો છો એટલે બેલથીયે ગયા. તમારાં તો વિવેકચક્ષુ ખોલવામાં આવે છે તોય ત્યાં ને ત્યાં. એ બેલ ઉઘાડી આંખે કદી એમ ન ફરે. એના પાટા એવા કે એને “સીધો જાઉં છું' - એમ લાગે એટલે લહેરપૂર્વક ચાલે, પણ કૂંડાળું એવું કે એ ગમે તેટલું ચાલે પણ ત્યાં ને ત્યાં ! કુસંપ કે સાચો સંપ?
આપણે બધી ક્રિયા તદ્દત કરવાની છે. તહેતુ એટલે મોક્ષનો હેતુ. એ હેતુ ધ્યાનમાં રાખીને ક્રિયા કરાય તો જ એ સમ્યગ્દર્શનની ક્રિયા કહેવાય. આ સમજાય તો દુનિયાનો કોઈ પણ સંબંધ ધર્મકાર્યની આડે ન આવે. સમ્યગ્દષ્ટિએ કાકામામાના સંબંધો છોડવાની ઇચ્છા રાખવાની છે કે જોડવાની ? વારુ, દેવ, ગુરુ અને ધર્મ માટે એ સંબંધ છોડવા પડે તે કુસંપ કહેવાય ? એ તો મહાસંપ. તંબોળી કાતર લઈને પાનને કાતર્યા કરે : એને પાનની કિંમત નથી એમ કહેવાય? કાતર તો એના હાથમાં જ હોય : સામાન્ય રીતે કાતર વિના એનો હાથ હોય જ નહિ. તંબોલી કાતરથી પાનનો સડેલો ભાગ કાતર્યા કરે : ગ્રાહક આવે ત્યારે પટ્ટી બનાવે અને જાય ત્યારે વળી કાતર લઈ કાપવા મંડે એમ કરે તો જ કરંડિયામાંથી કમાય, પણ “મારા માલ પર કાતર ન મુકાય' – એમ ધારી કંઈ ન કરે તો પાન સડી જાય ને કરંડિયો ઉકરડે ફેંકી દેવો પડે : ગ્રાહક પણ પાછા જાય અને જે જવે તે એને બેવકૂફ કહે. તો પછી બાધકને અલગ કરાય તેના જેવો સંપ ક્યો? વારું, કુસંપનું કારણ તો કહો ! વસ્તુની સમજણમાં ભેદ થાય અને બેયના હેતુ ફરે તો કુસંપ થાય ને? હેતુ ફરે તે પહેલાં અલગ થવું એ કુસંપ કે જાણ્યા છતાં ભેગા ને ભેગા ભળ્યા રહેવું તે ખરો કુસંપ ? જ્યાં બેઠા હોઈએ, જે સ્થાનમાં કે જે સંસ્થામાં હોઈએ, ત્યાંના ઉદ્દેશ ગળે ન ઊતરે તો સંપનો અર્થી તો રાજીનામું આપી અલગ થાય. એ તો સંપવાળો કહેવાય - એને ધન્યવાદ ઘટે. એક સંસ્થામાં કે ખાતામાં બે મિત્રો હોય, પણ મંતવ્ય ફરે કે સંપની ઇચ્છાવાળો તો લખી મોકલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org