________________
૧૪ : ધ્યેયશુદ્ધિની આવશ્યક્ત
તપ કરે તો કેટલો આનંદ આવે ? રોજ તપ કરે તેનો તપ વિશુદ્ધ થાય. કાયમ તપ ન કરે તેને એ વખતે તપમાં આનંદ કેવોક આવે ? આટલા તપમાં મુક્તિ મળી જાય ? રસનાની લાલસા છૂટે એ તપ : ઇચ્છાનિરોધ એ તપ : અને એ માટે બાહ્યતપ. બાહ્યતપની પ્રશંસા એ માટે છે. રસનાની લાલસા ઉપર કાપ મુકાય તથા ઇચ્છાનિરોધ થાય એનું સાધન બાહ્યતપ છે, માટે એની પ્રશંસા ! દુનિયાના કેટલાય ભિખારી દિવસો સુધી ભૂખે મરે છે, પણ એ તપસ્વી નહિ અને તમે તપસ્વી કેમ ? તપમાં જો તપનું ધ્યેય ઇચ્છાનિરોધ ન રહે, તો એ બાહ્યતપમાંથી તપપણું ઊડી જાય છે. ફરજિયાતપણે ઘણા જીવોને બાહ્યતપ કરવો પડે છે. તિર્યંચો બિચારા, માલિક નાખે તો ખાય, નહિ તો લાંઘણ. ઘણા જીવોને લાંઘણ કરવી પડે છે. એ ફરજિયાત. મરજીથી કરે તો બાહ્યતપ ખરો. બાહ્યતપ એ સમ્યગ્દષ્ટિના તપની કોટિમાં ક્યારે આવે ? ઇચ્છાનિરોધનો હેતુ હોય તો ! એ હેતુ ન હોય તો એ તપ નહિ પરંતુ એક કાયકષ્ટ ! હેતુ એ હોય તો વખતે લાલસા થઈ પણ જાય પણ તેની ગભરામણ નહિ, કેમ કે એ અભ્યાસ અનાદિ કાળનો છે : પણ ધ્યેય તે હોય એટલે તરત એમ ભાવ થાય કે ‘અહો ! હજી ઇચ્છા રોકાતી નથી.’ એટલે એ સુતપ. યાદ રાખો કે બધી જ ક્રિયા તહેતુ કરવાની છે.
979
-
64
સભા : પ્રભુ પાસે ફળ મૂકીએ તો ફળ મળે, નૈવેદ્ય મૂકીએ તો ઉત્તમ ભોજન મળે. આવી ભાવના આજે હોય છે તેનું શું ?
Jain Education International
૨૩૯
ફળ મૂકીને મોક્ષફળ તથા નૈવેધ મૂકીને અણાહારી પદ ઇચ્છવાનું છે. આજે એથી વિપરીત દૃષ્ટિ પ્રવેશી તેનું તો આ પરિણામ છે.
‘બાહ્ય પદાર્થોમાં મમતા ઘટ્યા વિના, બાહ્ય પદાર્થોને આત્માથી પર માન્યા વિના, બાહ્ય પદાર્થો રાખ્યા રહે તેવા નથી - રહે તોયે હાનિ કરે તેવા છે' એવા નિશ્ચય વિના ધર્મ પ્રત્યે સાચો રાગ જ આવવાનો નથી. સ્વાર્થી; સાચો અહિંસક બને, એ સાચો સત્યવાદી બને, એ હૃદયથી પૂરેપૂરી ચોરી છોડી દે, એનાથી શુદ્ધ નિષ્ઠાવાળું બ્રહ્મચર્ય પળે અને પરિગ્રહથી એ દૂર રહે એવી આશા જ ન રાખતા. એ અહિંસા પાળે તો પણ પુદ્ગલના સુખની લાલસા માટે ! એ સાચું બોલે કે સારો એટલે કે નીતિમય વર્તાવ રાખે તો પણ તેટલા જ માટે ! એ પુદ્ગલરંગી બ્રહ્મચર્ય ક્યારે પાળે ? હાડકાં ન ચાલે ત્યારે અથવા તો ભવિષ્યમાં સારું મળવાની ભાવનાએ ! ઘાંચીના બેલની જેમ મહેનત કરે પણ ત્યાંનો ત્યાં ! બેલ (બળદ) તો ડાહ્યો કે પાટા બાંધે તો ચાલે, નહિ તો એક ડગલું પણ ન ચાલે.
For Private & Personal Use Only
www.jainelibrary.org