________________
૨૩૮ ---
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -- ૪
-
મિથ્યાત્વ લાગે : કારણ કે એના યોગે એ ખાવાની વસ્તુ ઠીક ઠીક મળે એ ભાવના હોય છે.
લોકોત્તર મિથ્યાત્વ એવું છે કે એ શાસન સાથે એકમેક થઈ ગયેલું એટલે એકદમ સહુને ખબર ન પડે તેવું છે. લૌકિક મિથ્યાત્વનો તો ત્યાગ કર્યો કે કુદેવ, કુગુરુ અને કુધર્મ ન માનવા : પણ હવે અહીં આવ્યા પછી લોકોત્તર મિથ્યાત્વ પ્રવેશે તેને ભિન્ન કરવું મુશ્કેલ, એ તો મહા ઝેર : લૌકિક મિથ્યાત્વરૂપી ઝેર તો ઝટ ઓળખાય, પણ આને તો ઓળખવુંય ભારે આનાથી બચવાની બહુ જરૂર છે. ખાવાની દૃષ્ટિ એવી હોય કે નવી ચીજ આવે તે છોકરાને દેરે મૂકવા મોકલે અને છોકરો તો પહોંચે ત્યારે ખરો, પણ અહીં ખાવા માંડે.
પારણાં વખતની ભાવના જુઓ અને તપ વખતની ભાવના જુઓ : તપ તપની જગાએ રહે અને પારણું રાજા બને. અંતરપારણું, પછીનું પારણું અને તપ એ ત્રણેને ભેળાં કરી આત્માને પૂછો કે મજા ક્યાં આવી ? બે પારણામાં કે ઉપવાસમાં ?' શાસ્ત્ર વિધિ બાંધી કે પચ્ચખાણ પૂરું થાય પછી પાંચ-દશ મિનિટ બાદ પારણું કરવું. પાંચ-દશ મિનિટ વધુ તપનો સ્વાદ ચાખવો. પારણું કરતી વખતે પણ વિચારે કે “પાછા હતા ત્યાં ને ત્યાં આવ્યા. પણ આજે તો લહેજત જ પારણામાં હોય ત્યાં શું થાય ? વારુ, કહો કે “પારણાં માટે તપ કે તપ માટે પારણું ?'
સભા : તપ માટે પારણું?
હોય એમ, પણ મોટા ભાગે આજે પારણાં માટે તપ થઈ જવા લાગ્યો છે અને એમ થાય તો એ તપ આગળ શી રીતે વધે ? આજે તપમાં મંદતા એનું કારણ જ આ છે. વ્યાધિની વાત જવા દો, પણ વિના કારણ તપમાં શિથિલતા આવી એનું કારણ પારણાની મુખ્યતા છે. શરીર બગડે તો કલંક તપને શિરે ! પજુસણમાં અઢાઈ કરી હતી માટે ગરમી થઈ'- એમ કહે અને તપને વગોવે; પણ એવા શબ્દોથી તો સંસાર વધી જાય. વ્યાધિ કર્મજન્ય છે. એનું નિમિત્ત તપ કહેવાય જ નહિ.
| ક્રિયાનો હેતુ ન જળવાય તો ક્રિયા ફળતી નથી. વ્યવહારમાં હેતુ વિનાની પ્રવૃત્તિ એક પણ કરતા નથી અને અહીં હેતુ જ નહિ ? હેતુની પરવા જ નહિ ? શાથી ? મૂળ વસ્તુ સમજ્યા નથી એથી ! પજુસણમાં તપ કરવો તે અગિયાર મહિના ન કરવા માટે એમ ? જરા હેતુ સમજો. કાયમ તપ કરનારને એ વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org