________________
૧૪ : ધ્યેયશુદ્ધિની આવશ્યક્ત 64
લેવા આવે ત્યારે શ્રાવકે ઊંધું વાળીને દેવું એમાં વાંધો નહિ, ભાવના ઊંચી, પણ એવું દેવું ક્યારે કે પશ્ચાત્કર્મ ન કરવું હોય તો ! ફરીને એ માટે નવો ચૂલો ફૂંકવો હોય તો તેમ ન થાય.
977
શ્રી શાલિભદ્રના પૂર્વભવમાં એ રબારીએ ખીર બધી વહોરાવી, પછી થાળી ચાટી એ હા, પણ નવી કરાવી નહિ ! આપ્યા પછી ભાવના ટકાવી રાખવી અને એના વિના ચલાવી લેવું એ ફરજ. જો પશ્ચાત્કર્મ કરે તો મુનિને પણ દોષ લાગે. કેમ કે - એવી સ્થિતિ ઊભી ન થાય તેવી રીતે મુનિએ આહાર લેવાનો છે. મુનિની ગોચરીના દોષોના સોળ, સોળ અને દશ મળી બેંતાળીસ ભેદ છે : એકલા મુનિને લઈને, એકલા ગૃહસ્થને લઈને તથા બેયને લઈને એમ બેંતાળીસ દોષ છે. શ્રાવક એ વખતે તો ફરી આરંભની ક્રિયામાં ન જ ઊતરે એવી વિધિ છે. ધર્મ એવી ચીજ છે કે જેમાં પરિણામે આરંભ ન વધે. હોય તેનો સદુપયોગ થાય, પરંતુ સદુપયોગ માટે અવિહિત આરંભાદિ કરવાનું નહિ : આ જૈનશાસનની એ ચાવી છે. જેટલા અંશે એ ચાવી હાથમાં આવે, તેટલા અંશે જાગૃતિ રહે. દાન તે કે જે દેવાય તેના પ્રત્યેની મમતા ઘટે.
મુદ્દાને પકડતાં શીખો !
નૈવેદ્ય પૂજામાં પણ ભાવના કઈ ? ખાઓ તેટલી બધી ચીજ મુકાય, પણ તેમાંય ભાવના એ કે ‘આ બધી ચીજમાં મૂંઝાયો છું : એની આસક્તિ છૂટે માટે મૂકું છું.' ભગવાન કાંઈ ભૂખ્યા નથી, પણ દ્રવ્ય વિના ભાવ ન આવે. દ્રવ્ય આલંબન છે માટે તે મૂકી ધ્યેય ઉપર દૃષ્ટિ રાખે, તો તે પ્રકારની ભાવનાનો પ્રાદુર્ભાવ થાય અને પુદ્ગલની રસિકતા ઘટે.
૨૩૭
આજ કેટલાક એવો નિયમ રાખે છે કે ‘નવી ચીજ દેરે મૂકીને ખાવી.’ દેરે મૂકવાની પાછળ ખાવી ક્યાંથી આવ્યું ? ‘નવી ચીજ ખાવા માટે દેરે મૂકવી' - એ તો લોકોત્તર મિથ્યાત્વ. ‘નવી ચીજ દેરે મૂકું નહી ત્યાં સુધી ખાઉં નહિ’ - એ તો અભિગ્રહ થયો, કારણ કે વસ્તુ ફરી ગઈ. અને એથી જ્યાં સુધી ન મુકાય ત્યાં સુધી તો એ ત્યાગ થયો. ‘મૂકીને ખાઉ’-એમાં તો ખાવાની ભાવાનાની મુખ્યતા રહે છે અને ‘મૂકું નહિ ત્યાં સુધી ન ખાઉં’ તો આ ચીજ ખાવી તો ખોટી છે' - એમ સૂચન થાય છે. મુદ્દો એ છે કે દેરે મૂકવું એ વાત જુદી છે, પણ ખાવા તરફ દૃષ્ટિ ન હોવી જોઈએ. જો ખાવાની દૃષ્ટિએ દેરે મુકાય, તો લોકોત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org