________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૪
સમ્યક્ત્વ શુદ્ધ નથી. આપત્તિ શાથી આવી તે વિચારે અને આપત્તિ તથા સંપત્તિનો વિવેક કરે, તો મૂંઝવણ આપોઆપ મટી જાય ને ધાર્યું કામ થાય. ધાર્યું કામ ન થાય તો પણ સમ્યગ્દષ્ટિ મૂંઝાય નહિ, કારણ કે મૂંઝાય તો નાશ થાય. માટે મૂઝવણ ટાળવાનું નક્કી કરવું પડશે. લોકને અને શાસનને જુદું રાખવું પડશે. લોકહેરીમાં પડવાથી શાસન પમાયું હોય તો તે ન ટકે.
૨૩૬
પૌદ્ગલિક લાલસા એવી ભયંકર છે કે ધર્મક્રિયામાં ભળીને પણ એ ક્રિયાને ઝેર કે ગરલ રૂપ બનાવી દે. આપણે તદ્ભુતુ ક્રિયા કરવી છે : અને તદ્ભુતુ ક્રિયા કરવા માટે તો પરિવાર-કુટુંબ બધું છોડી દેવું પડશે : ‘મારું તો આ’ - એવી દઢ ભાવના કેળવવી પડશે આ એટલે ધર્મ, આગમ, પ્રભુની આજ્ઞા એ સચવાય ત્યાં સુધી સંબંધી વગેરે સાચા, પણ એમાં વિઘ્ન કરે તો એ સંબંધી નહિ !
976
શ્રી લલિતાંગકુમારના દૃષ્ટાંતમાં આપણે પહેલાં જોઈ ગયા છીએ કે એ કુમાર દાનનો વ્યસની હતો : એ દાનમાં શ્રેયઃ સમજતો : દાન વિના એને ચેન પડતું નહોતું. કોઈ દુર્જને એના પિતાને ભંભેરણી કરી કે ‘કુમાર જો આમ દાન દેશે તો ભંડાર ખાલી થઈ જશે.' રાજાને આ ઠીક લાગ્યું અને તેથી કુમારને કહ્યું કે ‘આવી રીતે દાન દેવાથી તો ભંડાર ખાલી થશે : રાજનો માલિક તો તું જ છે, માટે ભંડાર ખાલી થયેથી રાજ્ય ન ચાલે.’-આ સાંભળી શ્રી લલિતાંગકુમાર વિચારે છે કે ‘પિતાના કાનમાં આવું ઝેર કોણે રેડ્યું ?' અને એ પછી એ દાનના કારણે જ એ રાજકુમારનો દેશનિકાલ થયો, ત્યારે એને સુખ થયું કે દુઃખ ? વળી એ દાનધર્મની ખાતર રાજઋદ્ધિ-માબાપ-કુટુંબ છોડી ચાલી નીકળ્યો ને ? ‘જ્યાં દાનધર્મ ન સચવાય, ત્યાં રાજ્ય હોય તો પણ શું કામનું ?’ -એમ માનીને દાનધર્મની ખાતર એ રાજપુત્ર બધું છોડ્યું અને ચાલી નીકળ્યો. ખ્યાલ રાખજો કે એ રાજકુમાર સાધુ નહોતો ! સાધુ થવાની ભાવનાવાળો પણ નહોતો ! છતાં રાજઋદ્ધિ ને કુટુંબપરિવારાદિ છોડ્યું ને ?
સભા : એવી શક્તિ ન હોય તો ?
એ વાત જુદી. ‘અલ્પ શક્તિવાળો આદમી - ચાર આના કમાય ને ખાય તેવો આદમી, હજી સાધુ થવાની તાકાત નથી, વિષયકષાય પર જીત મેળવી નથી તેવો આદમી, એ ચાર આના આપી દે ?' - આવો પ્રશ્ન છે ને ? એ આપે એ શક્તિનો અતિરેક, શક્તિના અતિરેકથી ધર્મપાત થઈ જાય. મુનિ ભિક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org