________________
975
-
- ૧૪ : ધ્યેયશુદ્ધિની આવશ્યક્ત -
૨૩૫
રહા તો પેલા બધાને ઠેકાણે આવવું પડ્યું, પણ સ્થિર બનાય તો ને? પરિણામે તો સત્યનો જય જ હોય, માટે આબરમાં ન મૂંઝાઓ : “લોકવ્યવહારની પરવા કરવામાં રહી ધર્મને ન છોડો : શબ્દો યાદ રાખજો. લોકવ્યવહાર' હોં ! લોક તો બધુંયે કહે. લોક શું કહે ? આથી જ લોકહેરી તજો . લોકહેરીમાં ભળ્યા તો વસ્તુ ગઈ સમજો. ત્રિશંકુ ન બનો. અહીં અને તહી ન કરો. દહીં-દૂધિયા ન બનો !
તહેતુ ક્રિયા તો પ્રભુની આજ્ઞામાં બનશે અને એ બનાવવા માટે ધર્મનો વિરોધી આપણામાં પ્રવેશે નહિ એવી ચિંતા તો આપણે કરવી જ પડવાની એ ચિંતાનો બોજો સામો પક્ષ ઉઠાવી લેતો હોય તો વાંધો પણ શો છે ? સંઘને એ ફિકર રાખવી પડતી કે આપણા સમુદાયમાં આગમનો વિરોધી પ્રવેશે નહિ તે માટે તપાસ રાખતા અને એવું કાંઈ જણાય તો ઝઘડા વેઠીને પણ નિહ્નવને, ઉન્માર્ગગામીને ઊંચકીને બહાર (સંઘ બહાર) ફેંકી દેતા. એ હેતુ સામો પક્ષ તમને સાધી આપતો હોય તો તો આનંદ : તમને ખબર પણ પડે કે નંગ કેટલાં છે ! શાહુકારને ઉઠાઉગીરોથી ચેતવાનું હોય, પણ માનો કે એમની એવી બુદ્ધિ થઈ અને એ શાહુકારોનો જ બોયકોટ કરે તો શાહુકારોને તો સારું. તાળાં વાસવાં મટે : પાપ ઓછું પંચાત ઓછી, ઉઠાઉગીર પોતાની મેળે આવતા બંધ થાય તો તો શાહુકારને આનંદ જ થાય. ઉઠાઉગીરનો રોટલો શાહુકારોમાં છે એટલે એવું કરે જ નહિ, પણ માનો કે કરે તો શાહુકારને દુઃખ શું? એને તો પાંચ શેર લોહી ચડે, કારણ કે વગર જોઈતી આફત હતી તે ટળી, પણ આ સ્થિતિમાં ટકવા માટે મક્કમતા ઘણી જોઈશે. મક્કમતા નથી જ એમ નથી કહેતો, પણ જે છે તેનાથી કેટલાય ગણી વધારે જોઈશે. મક્કમતા ન હોય એ બને ? એકવીસ હજાર વર્ષ શાસન ચાલશે તે આવા મક્કમોથી જ. એવા આત્માઓ લૌકિક રીઝમાં ન પડે અને મુખ્યપણે ભગવાનના ધર્મના જ બને. લોકcરીમાં પડ્યા કે ડૂળ્યા !
હીણભાગી આત્માને તો શ્રી તીર્થંકરદેવની દેશના પણ લાભ નથી કરી શકતી. અસ્તુ. જો આપણે જાગતા થઈએ, જાગતા રહીએ તો એવો સુયોગ્ય મળે તો લાભ લઈ શકીએ. માટે વાતવાતમાં મૂંઝાયે કામ ન થાય. આપત્તિ વખતે સમ્યગ્દષ્ટિ આત્મા મુંઝાય નહિ. મૂંઝાય તેનામાં સમ્યક્ત્વ નથી, એટલે કે એનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org