________________
૨૩૪
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
– 94
કોઈને પણ એનાથી વધારે ન ગણે. જ્યાં સુધી એ બધા ભગવાનને માને ત્યાં સુધી સંબંધી ખરા : ભગવાનને તથા એની આજ્ઞાને ઠોકર મારે કે ખલાસ : સંબંધ પછી ન જ પાલવે. આ જ કારણે શ્રી આનંદઘનજી મહારાજા કહે છે કે
“કપટરહિત થઈ આતમ અરપણા રે.” આવી રીતે આત્મસમર્પણ થાય ત્યારે જ આનંદઘન પદની ઝાંખી થાય : બાકી એમનાં પદ ગોખીને ગમે ત્યાં દુરુપયોગ કરાય તેથી ફાયદાને બદલે ગેરફાયદો થાય : અમૃત ઝેરરૂપે પરિણમવા જેવું બને. સ્તવન તથા સક્ઝાય ગાનાર જો બરાબર ગાય, પૂજા ભણાવનારા જો બરાબર ભણાવે, તોય આત્મસમર્પણ થાય. આગમમાં તો બધું લખ્યું જ છે; પણ પૂર્વપુરુષોએ એ વાતો સ્તવન, સન્ઝાય તથા પૂજામાં પણ ઉતારી છે. તમે સુંદર સ્તવનો રોજ બોલો, સક્ઝાય બોલો ને સાંભળો, આટલું છતાં પણ એ પરિણામ પામતા નથી અને તમે એના એ રહો : એનું કારણ ? એ જ કે તમે ભગવાનના બનતા નથી. ભગવાનના બનો તો તો કામ થઈ જાય. ભગવાનના છો ક્યાં ? જેના છો તેના છો અને એમની ચિંતામાં આ બધી વસ્તુ રહી જાય છે. સભાઃ લૌકિક રીઝને લઈને.
લૌકિક રીઝમાં જ પડેલા સમૂહોને સંઘ શી રીતે કહેવાય ? લૌકિક રીઝ માટે જ એકત્રિત થયેલ ટોળાને સંઘ કેમ કહેવાય ? સંઘ રીઝવે કોને ? લોકને કે તીર્થપતિને ? માર્ગને કે ઉન્માર્ગને ? જિન-પ્રવચનનો આધાર તે સંઘ કે બીજો ? જિન-પ્રવચનનો આધારભૂત શ્રીસંઘ કેવળ લોકને જ રીઝવવા મથે ? શબ્દથી ભડકો મા, મૂંઝાઓ નહિ. ખોટા શબ્દોથી જરાય ન મૂંઝાઓ. “ધનપાલ' નામથી મૂંઝાઓ નહિ, પણ પૂછો કે “છે કંઈ?” નામ તો ઉમદા હોય પણ અંદર કંઈ ન હોય તો તેની સાર્થકતા શી ? મારવાડમાં ભિખારીને લખપતિ કહે છે. ત્યાં જઈને વગર તપાસે એ લખપતિને શ્રીમાન ધારી ધીરો તો શું થાય? ભીખ માંગવી પડે કે બીજું ? માટે ખોટા શબ્દથી, શબ્દોની ખોટી યોજનાથી મૂંઝવણમાં ન પડો ! ગમે તેવો મોટો શબ્દ મુકાય તો પણ પૂછજો કે “એમાં છે શું ?' એવું એવું સાંભળીને આકળવિકળ થવાય નહિ. સમજાતું નથી કે આમાં અકળામણ શી ? હજી તો કંઈ નથી. પૂર્વે પણ ઉન્માર્ગીઓના જોર વખતે સંવ સાધુઓને તથા સુશ્રાવકોને ખૂણે પેસવું પડતું ઃ સંતાઈ રહેવું પડતું? ગીતાર્થોને અમુક નગરીમાં પેસવા દેવાની મના હતી : ગીતાર્થોનો બોયકોટ હતો પણ એ સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org