________________
૧૪ : ધ્યેયશુદ્ધિની આવશ્યક્ત 64
કહ્યે સંબંધ મળે ? એમાંથી અર્થ નીકળે ? આ વાક્ય તો ખરુંને ? બગલો કાળો હોય ? ન હોય, પણ ‘કાળો બગલો' એ વાક્યમાંના શબ્દો તો ખરા ને ? પણ એ વાક્ય બોલનાર ડાહ્યો કે ગાંડો ? વાક્ય અર્થવાળું હોય કે અર્થ વિનાનું ? શબ્દ પણ જો યોગ્ય સ્થાને યોજાય તો અર્થ થાય, નહિ તો એ શબ્દ અથડાવી જ મા૨ે : અર્થ જ ન થાય. એ માટે તો વિધિ બાંધવી પડી કે ‘અર્થને સંલગ્ન ક૨ના૨ શબ્દો પણ એકીસાથે બોલવા.' જો એમ બોલાય તો અર્થ નીકળે. છૂટા છૂટા અમુક સમયના અંતરે બોલાય તો અર્થ નીકળે ? ઘોડો મગાવવાની ઇચ્છાવાળો શેઠ ‘ઘોડો' એમ હમણાં બોલે અને કલાક રહીને ‘લાવ’ બોલે તો નોકર શી રીતે લાવે ? શું લાવે ? ‘પથરા ખા અને રોટલી ફોડ' આ પણ વાક્ય છે ઃ એનો અર્થ કરો. શબ્દ બરાબર, પણ મૂકવાની આવડત જોઈએ, નહિ તો સાંભળનારો મૂંઝાય. શબ્દ તો અર્થવાળા, પણ એ શબ્દોને ઘટતી રીતે યોજાય તો લાભદાયી થાય. બધા શબ્દના અર્થ અનેક : એક એક શબ્દના અનેક અર્થ : સંયોગ ફરે તેમ અર્થ પણ ફરે : એક શબ્દના અનેક અર્થ : એક વાક્યના અનેક અર્થ : યોજના ભિન્ન તેમ અર્થ ભિન્ન ! દ્વાદશાંગી આખીમાં એના એ ક, ખ, ગ, છે ને ? એ જ બારાખડી કે બીજી ? એ સિવાય બીજું ખરું ? નહિ જ, પણ શબ્દ જોડતાં આવડે તો જોડાય ને ? અસ્તુ. એ જ રીતે મહત્ત્વ સૂચવનારા ‘આવા’ એ શબ્દ, જેને વસ્તુ પરિણત થઈ હોય તેને માટે વપરાય, આ તો ‘આવા' સંબોધનનું ઉપહાસ્ય છે. તમે ભગવાનના છો ?
:
973
ધર્મી તે કે જે પૌદ્ગલિક પદાર્થોમાં સદ્ભાવવાળો ન બને : ધર્મક્રિયામાં એ લાલસા આવે અને ‘આ મારું અને આ મારું' થાય, તેમજ ‘આ મામા અને આ કાકા’-એમ થાય તો ધર્મની રક્ષા પ્રસંગે ઊભા કેમ રહી શકો ? શું કરો તો ધર્મ થઈ શકે ? તમે ધર્મી ક્યારે કહેવાઓ ? જેની સેવા, પૂજા અને ઉપાસના કરો છો, તેના બનો તો ધર્મી ! વારુ, કહો કે તમે કોના ?
૨૩૩
સભા : ભગવાનના.
કોણે કહ્યું ? બાપના દીકરા, કાકાના ભત્રીજા અને મામાના ભાણેજ, પણ ભગવાનના તો કાંઈ નહિ ! ભગવાનના થાય તે ભગવાનનું કે ભગવાનના માર્ગનું અપમાન સહે ? ભગવાનના હોય તે એવે પ્રસંગે માબાપને કે સંબંધીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org