________________
૨૩૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
– 92
દુનિયાના સારામાં ‘આવા શું? આના યોગે ધર્મીનાં ચિત્ત પણ ચલ-વિચલ થઈ જાય છે. કેવળ “લોકવ્યવહારમાં પડેલો ધર્મ ન સાધી શકે : “લોકવ્યવહારકહું છું હોં ! શબ્દો બરાબર ધ્યાનમાં રાખજો. અધૂરું ન સાંભળતા અગર અધૂરું ન પકડતા ! આ મારા મામા, આ મારા કાકા, આ મારા સંબંધી, - એમ જ જો કર્યા કરે તો તો ચોથે દા'ડે ધર્મને છોડી દેવાનો જ વખત આવે ને ? કાકા અને મામા કર્યાથી ધર્મ નહિ રહે. ધર્મને કીમતી માનો તો ત્યાં આગળ બીજું કાંઈ નહિ. કોઈ ધર્માત્મા કર્મના યોગે યા કોઈ બીજાના યોગે ખરાબ થઈ જાય, તો તેવા આત્મા માટે એમ વિચારાય કે “આવા ધર્મની પણ આ હાલત ?' પરંતુ એટલા માત્રથી જ “અમુક આવા અને અમુક તેવા” એવી વાતો ન કરાય : જૈનકુળમાં જન્મવા માત્રથી જ ધર્મી કહેવાતા હોય એમની અયોગ્ય કરણીથી જ “અમુક આવા” – એવી વાતો ન કરાય, ધર્મ જેને પરિણમ્યો છે તેવો ધર્મી પ્રાયઃ ધર્મમાં સ્થિર રહી શકે, પરંતુ કર્મોદયે કદાચ તેવો ધર્મપરિણત આત્મા પણ પડે ત્યારે આશ્ચર્ય થાય અને “આવા પણ પડ્યા' એમ થાય, તેમજ બોધ દેવાય કે “આવા આવા પણ પડી જાય છે, માટે આપણે તો બહુ સાવચેત રહેવું જોઈએ.' પણ જે કેવળ ઉપલકિયા છે – ધર્મ શું ચીજ છે એ જેને સમજાયું જ નથી, તેના માટે આવા એ શબ્દ ન હોય : યાદ રાખો કે જે અર્થમાં “આવા' વપરાય છે, તે અર્થમાં ન હોય : એમ તો “આવા પાપી” એ અર્થમાં પણ આવા” કહેવાય ત્યાં અર્થબાધ નથી પણ જે અર્થમાં વપરાય છે તે અર્થ માટે આ વાત છે. આજે શબ્દ ઉપર મારામારી બહુ છે અને વાત જ આડી ચલાવાય છે ! - વ્યવહારમાં શિક્ષક કોને કહો ? શિક્ષક, અધ્યાપક, વિદ્યાર્થી, શેઠ, વેપારી એ બધું કહો કોને ? તે તે કળા, ગુણો જેનામાં હોય તેને ને ? ભણાવતાં ન આવડે એને શિક્ષક કહેવાય ? ડિગ્રી હોય અને બોલતાં ન આવડે તો ? વગર પ્રેક્ટિસે ઘણાય મૂંગા મરી ગયા. ભણ્યા ખરા પણ વકીલાત ન આવડીને ? વ્યવહારમાં બધું સમજો છો, તે રીતે સંઘ-શ્રાવક એ શબ્દ જ્યાં વપરાયે, ત્યાં તેનું વસ્તુત્વ જોવાનું કે નહિ ?
સભા: સાહેબ ! મૂળ દૃષ્ટિ જ ફરી ગઈ છે.
તો ધર્મની કાર્યવાહી થાય શી રીતે ? કોઈ પૂછો તો ખરા કે જે ઉપનામ વાપરો છો તે તત્ત્વ ત્યાં છે ? અર્થ વિનાના શબ્દો તથા વાક્યોનો ઉપયોગ શો ? જેમાં ભાવ ન હોય તે શબ્દ કે વાક્ય કહેવાય ? કાળો બગલો એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org