SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ - 12 સમ્યક પ્રકારે સહન કરીને સંસારરૂપ વૃક્ષનાં બીજ સમાં કર્મોને દૂર કરે છે, તેને જ તું ‘ભાવધૂત' જાણ.” આ બધા કથન ઉપરથી સહજમાં સમજી શકાશે કે વસ્ત્રાદિ ખંખેરવારૂપ દ્રવ્યધૂનનની માફક ભાવધૂનન એ સહેલું નથી, વસ્ત્રધૂનનરૂપ દ્રવ્યધૂનનની બાબતમાં પણ ઘણું વિચારવાનું છે. કારણ કે કોરા વસ્ત્રને ખંખેરવાથી ધૂળ તરત જ ખસી જાય અને ભીના વસ્ત્ર પર લાગેલી ધૂળ કાઢવા એને ધોવું પડે. તથા ચીકણા વસ્ત્ર પર ધૂળ લાગે તો એને બહુ ધોવું પડે, તેમજ બહુ ચીકણું અને બહુ જ કાળું વસ્ત્ર હોય એના માટે તો એને વળગેલો મેલ કાઢવા એ વસ્ત્રને ખારમાં નાખી ચૂલે ચડાવવું પડે છે : કલાકો સુધી બફાય અને તે પછી મેલ કાઢવા જોગી બધી ક્રિયાઓ એના પર થાય ત્યારે એ મેલ નીકળે છે. આટલું છતાં પણ એ મેલ તો વસ્ત્રથી અલગ છે, એટલે કે અલગપણે દેખાય છે અને કર્મ તો આત્માની સાથે એકમેકરૂપ થયાં છે. વસ્ત્રને લાગેલો મેલ તો દૃષ્ટિમાં આવે છે, કારણ કે વસ્ત્ર અને તેને વળગેલો મેલ એ બન્નેય રૂપી છે : પણ અહીં તો આત્મા અરૂપી છે અને કર્મના અણુ રૂપી છે છતાં સૂક્ષ્મ છે : એવાં સૂક્ષ્મ છે કે જે ચર્મચક્ષુથી દેખાતાં જ નથી : નીર જેમ ક્ષીર સાથે મળી જાય તેમ તે બની ગયાં છે. દુનિયાના વસ્ત્ર ઉપર લાગેલા નહિ જેવા કચરાને અલગ કરવા પણ જેવો કચરો તેવી મહેનત કરવી પડે છે, તો અનાદિકાળથી દૂધ-પાણીની જેમ અગર લોઢામાં અગ્નિની જેમ એકમેક રૂપે મળી ગયેલાં કર્મોને આત્માથી અલગ કરવા આત્માએ કેવી મહેનત કરવી પડશે ? વધુમાં ખૂબી તો એ છે કે ઘણા કાળના પરિચયને લઈને તેમાં જ પાછું આત્મત્વ મનાયું છે : એ કર્મો સાથે રહેવામાં આત્મા ટેવાઈ ગયો છે, કે જેથી ટેવાઈ ગયા પછી સામાન્ય રીતે તો એને એ કાઢવાની ભાવના પણ થતી નથી જ, વ્યવહારમાં પણ જુઓ : જેઓ ગંધાતા પદાર્થોથી ટેવાયેલા છે તેમને તેવા સંયોગોમાં કે તેવા મકાનમાં રહેતાં તકલીફ નથી પડતી. એ તો કોક એમને પકડી જાય, સુગંધીયુક્ત પદાર્થોવાળા મકાનમાં રાખે, પણ એને ત્યાં ગમે તો નહિ પણ ગમે કે ન ગમે છતાં રાખે, પંદર-વીસ દિવસ રાખે અને તે પછી પેલા મકાનમાં લઈ જાઓ તો તે બાદ એ તેમાં ન ઘૂસે. તેવી જ રીતે આત્મા કર્મસત્તાથી ટેવાઈ ગયો છે : અરે, કહોને કે દબાઈ ગયો છે. તે એવો ટેવાયો અને દબાયેલો છે કે દબાયો છતાં તે પોતાને દબાયેલો માનતો નથી. કર્મ આત્મા સાથે એવાં એકમેક થયાં છે - આત્માને કર્મસત્તાએ એટલો દબાવ્યો છે કે કર્મની સત્તા ઉઠાવવા આત્મા વિનયશીલ બન્યો છે. કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy