________________
કા
–
- ૨ : સાચી સ્વતંત્રતાનો સાચો માર્ગ – 52 -
નામનિષ્પન્ન' નામના નિપામાં તે અધ્યયનનું ધૂત' નામ આવે છે. તે “ધૂત
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ' – આ ચાર પ્રકારે છે : તેમાંના ‘નામધૂત” બને “સ્થાપના ધૂત' - આ બે પ્રકાર સુગમ હોવાથી તે બે પ્રકારનો અનાદર કરીને, એટલે કે એ બે પ્રકારોનું વિવેચન કરવું માંડી વાળીને, ‘દ્રવ્યધૂત અને સાવધૂત આ બે પ્રકારોનું પ્રતિપાદન કરવા માટે આ અડધી ગાથા નિર્યુક્તિકાર મહર્ષિએ ફરમાવી છે.' - આ પ્રમાણે કહીને ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા જે અડધી ગાથા રજૂ કરે છે, તેમાં લખ્યું છે કે,
પુષં વારૂ, ભાવપુર્વ મૂત્રવિદં ” “વસ્ત્રાદિ એ દ્રવ્યધૂત અને અષ્ટવિધ કર્મ તે ભાવધૂત.” આ અડધી ગાથાની વ્યાખ્યા કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે"द्रव्यधूतं द्विधा - आगमतो नोआगमतश्च, आगमतो ज्ञाता तत्र चानुपयुक्तः, नोआगमतस्तु शरीर- भव्यशरीर-व्यतिरिक्तं द्रव्यधूतं - द्रव्यं च धूतं च रजोऽपनयनार्थं द्रव्यधूतं, आदिग्रहणाद् क्षादिफलार्थ, भावधूतं कर्माष्टविध तद्विमोक्षार्थं धूयत इति गाथाशकलार्थः ।"
“વ્યધૂત “આગમથી’ અને ‘નોઆગમથી' – એમ બે પ્રકારે છે. “આગમથી દ્રવ્યધૂત' તેને કહેવાય છે કે જે “ધૂતનો જ્ઞાતા હોવા છતાં અનુપયુક્ત એટલે ઉપયોગ વિનાનો હોય અને નોઆગમથી દ્રવ્યધૂત' ત્રણ પ્રકારે છે : તેના ત્રણ પ્રકાર ‘શશરીર, ભવ્યશરીર અને શરીર તથા ભવ્ય શરીરથી વ્યતિરિક્ત' - આ છે. “ધૂત'ના જ્ઞાતાનું શરીર અને જાણકાર થવાને લાયક જે આત્મા તેનું શરીર અને એ બંનેથી વ્યતિરિક્ત વસ્ત્ર આદિ : આદિ ગ્રહણથી વૃક્ષ આદિનું ગ્રહણ થઈ શકે. ‘ધૂતના જ્ઞાતાનું શરીર, “ધૂતના શાતા થવા માટે જે યોગ્ય આત્મા તેનું શરીર અને એ બન્નેથી ભિન્ન જે ધૂળ ખંખેરવા માટે હલાવવામાં આવતું વસ્ત્ર અને ફલાદિક માટે હલાવવામાં આવતું વૃક્ષ વગેરે તેનોઆગમથી દ્રવ્યધૂત” કહેવાય છે અને કર્મોના ક્ષય
માટે આઠ પ્રકારનાં કર્મને જે હલાવવું તે ભાવપૂત કહેવાય છે.” ‘દ્રવ્યધૂત’ અને ‘ભાવધૂત' - આ બેમાં પણ “ભાવધૂત' એ જ અતિ ઉપયોગી હોવાથી એનું વિશેષથી નિરૂપણ કરતાં શ્રુતકેવલી ભગવાન શ્રી મદ્રબાહુસ્વામીજી મહારાજા નિયુક્તિ દ્વારા ફરમાવે છે કે :
જિયસિજુવ, વિવે માજીસે તિરિજી તા.
ના વિફ મારું, માધુર્ય તે વિયાગાદિ તારા” “હે ભવ્ય !જે દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી ઉપસર્ગોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org