________________
૨: સાચી સ્વતંત્રતાનો સાચો માર્ગ:
અનંત શક્તિસંપન્ન ચેતન પણ આજે તો કર્મનો ગુલામ બન્યો છે !
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજીએ પ્રથમ અંગ તરીકે રચેલા આ શ્રી આચારાંગ સૂત્રના “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનનો, પાંચમાં લોકસાર' નામના અધ્યયન સાથે સંબંધ દર્શાવતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજીએ ફરમાવ્યું કે : “પાંચમા “શ્રી લોકસાર' નામના અધ્યયનમાં લોકને વિષે સાર તરીકે “સંયમ” અને “મોક્ષનું પ્રતિપાદન કર્યું તે “સંયમ'-'નિઃસંગતા' વિના અને “મોક્ષ'-કર્મધૂનન' વિના થઈ શકતું નથી : એ કારણથી તે નિઃસંગતા' અને કર્મધૂનન'નું પ્રતિપાદન કરવા માટે આ છઠ્ઠા ધૂત'ના નામના અધ્યયનનો ઉપક્રમ કરવામાં આવે છે.”
આ સંબંધથી આવેલા છઠ્ઠા અધ્યયનનાં પણ વ્યાખ્યાદ્વારો ઉપક્રમ, નિક્ષેપ, નય, અને નિગમ' - આ ચાર છે. આ ચાર દ્વારો પૈકી પ્રથમના ઉપક્રમ' નામના વ્યાખ્યાદ્વારમાં અર્વાધિકાર બે પ્રકારે છે : એક અધ્યયનનો અર્થાધિકાર અને બીજો ઉદ્દેશાઓનો અર્થાધિકાર. આ બે અર્થાધિકારો પૈકીનો પ્રથમ જે અધ્યયનનો અધિકાર, તે તો પ્રથમ જ નિર્યુક્તિકાર શ્રુતકેવળી, ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજીએ કહેલો છે : માટે હવે બીજા ઉદ્દેશાઓના અર્થાધિકારને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકાર મહર્ષિ ફરમાવે છે કે આ પ્રમાણે કહી નિર્યુક્તિની દોઢ ગાથા દ્વારા ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજીએ પાંચ ઉદ્દેશાનો અર્થાધિકાર જણાવતાં ફરમાવ્યું કે : “પહેલા ઉદ્દેશામાં સ્વજનોનું ધૂનન, બીજા ઉદ્દેશામાં કર્મોનું ધૂનન, ત્રીજા ઉદ્દેશામાં ઉપકરણો અને શરીરનું ધૂનન, ચોથા ઉદ્દેશામાં ગૌરવત્રિકનું ધૂનન અને પાંચમા ઉદ્દેશામાં સાધુઓએ જે રીતે ઉપસર્ગો અને સન્માનોનું ધૂનન કર્યું છે, તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.”
આ રીતે ઉદ્દેશાઓના અર્થાધિકારનું પ્રતિપાદન સમાપ્ત કરીને, નિર્યુક્તિકાર મહર્ષિ શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા ઉપક્રમ કર્યા પછી નિક્ષેપ કરવા ઇચ્છે છે : તે નિક્ષેપ “ઓઘનિષ્પન્ન, નામનિષ્પન્ન અને સૂત્રાલાપક નિષ્પન્ન' - આ ત્રણ પ્રકારે છે : તેમાંના ‘ઓઘનિષ્પન્ન નામના નિક્ષેપોમાં અધ્યયન આવે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org