SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨: સાચી સ્વતંત્રતાનો સાચો માર્ગ : 52 • અનંત શક્તિસંપન્ન ચેતન પણ આજે તો • શ્રાવક મુનિની કઈ ખબર રાખે અને મુનિ કર્મનો ગુલામ બન્યો છે ! શ્રાવકને શું કહે ? • કર્મધૂનન કરવું હોય તો આત્માને લુખ્ખો • સ્નેહસંબંધીનું રુદન છતાંય વિરાધના તો બનાવો ! નહિ જ પરંતુ વધુમાં આરાધના ! - આત્માનો ખ્યાલ આવે એટલે કોને પૂછે છે , શાસનમાં સારભૂત માત્ર બે જ વસ્તુ છે : ને કોની સલાહ લે ? વિષય : ધૂતાધ્યયનના નિક્ષેપા. ભાવધૂતની મહત્તા, ધૂનન માટે જરૂરી વસ્તુ નિયુક્તિકારનો હવાલો આપીને ટીકાકાર મહર્ષિ છઠ્ઠા અધ્યયનના સાન્વર્થક નામ અંગે જે પ્રતિપાદન કર્યું છે તેના આધારે પ્રવચનકારશ્રીજીએ દ્રવ્યધૂત અને ભાવધૂતની વ્યાખ્યાઓ કરી ભાવપૂત એ અત્યંત ઉપયોગી છે એમ જણાવ્યું છે. વસ્ત્ર ઉપર લાગેલ કચરો કાઢવાની ક્રિયા કે વૃક્ષ ઉપરથી ફળો મેળવવાની ક્રિયામાં વસ્ત્રને ધોવાની કે ઝાડને હલાવવાની ક્રિયા દ્રવ્યધૂનન (દ્રવ્યધૂત) કહેવાય, જ્યારે આત્મા ઉપર લાગેલ કર્મનો મળ કાઢવાની ક્રિયા ભાવધૂનન કહેવાય. કર્મ એમ ને એમ જતાં નથી. તે માટે સંયમાદિની ક્રિયાઓને એવી રીતે કરવી પડે કે એ કર્મ ઊંચાં નીચાં થાય અને છેવટે જાય. એ બધી બાબતોને શ્રી અનંતકુમાર ચક્રવર્તીને રૂપ-પરિવર્તન બાદ થયેલા વૈરાગ્ય અને ત્યાગના પ્રસંગની સાથે સુંદર રીતે વર્ણવી છે. મુવાક્યાતૃત • દુનિયાની સાથે શાસનને ભેળસેળ ન કરો ! અલગ હશે તો દુનિયાના અહીં આવશે. આજે તો શાસનના ત્યાં તણાય છે. • કર્મ વીણીને આઘાં કરાય કે કાપીને આઘાં મુકાય તેમ નથી. માટે સ્વયમેવ કર્મોને ઊંચા-નીચાં થવું પડે તેવી કાર્યવાહીની જરૂર છે. • કર્મના આધારે નાચવું, એ નચાવે તેમ નાચવું અને પોતાને સ્વામી કહેવું તે મૂર્ખાઈ ખરી કે નહિ? • સમ્યગ્દર્શન એ એક જાતનો અજબ પ્રકાશ પેદા કરે છે અને એથી આત્માને તે સ્વ અને પરનો ભેદ સમજાવે છે. • સમ્યગ્દષ્ટિ સંપત્તિથી ડરે. સંપત્તિથી ભાગવું એ પહેલું ધૂનન. સંપત્તિનો સદુપયોગ એ પણ આંશિક ધૂનન. • બાહ્ય સંપત્તિ પાસે રાખીને આત્મસંપત્તિને પ્રગટ કરવાની વાત તો મૂર્ખતા જ છે. • જૈનશાસન પામેલાને દુનિયાની કાર્યવાહી તરફ અનુરાગનો છાંટો પણ ન હોય. • આત્મધર્મ બુઝાયો તો સાહ્યબી લાત મારીને ત્રીજે દાડે ચાલી જશે. આત્મધર્મ જાગતો હશે તો અશુભોદયથી દારિદ્રચ આવશે તો પણ એ આત્માને મૂંઝવશે નહિ. મુનિના સંયમની રક્ષા માટે શ્રાવક પ્રાણ પાથરે, તેમજ મુનિની પણ ફરજ કે શ્રાવકને સંસારરૂપમાં પડતા બચાવે. • મરતી વખતે જે કરવું હોય, જે કરવા યોગ્ય હોય તેનો જીવતા અભ્યાસ કરો તો મરતી વખતે જોઈતી સમાધિ આવે અને સમાધિમરણ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy