________________
૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪ ––
–
748
જ્ઞાનીઓને કહેવું પડ્યું કે શ્રીમતી મરુદેવા જેવા માતા નહિ અને શ્રી ઋષભદેવજી જેવા પુત્ર નહિ. હજાર વરસ સુધી શ્રીમતી મરુદેવા જેવા માતાને જે પુત્રે રોવરાવ્યાં તે પુત્રની પ્રશંસા હોય ? હા, જ્ઞાનીએ કરી. કારણ કે માતાને પુત્રે રોવરાવ્યા નથી, પણ મોહે રોવરાવ્યાં છે. બાકી પુત્રે તો માત્ર એક જ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન આપીને મુક્તિપદે પહોંચાડ્યાં છે. પણ જો શ્રી ઋષભદેવસ્વામીજીએ ન રુવે એવી દયા ખાધી હોત તો શું થાત ? પણ તેવા તારકો તેવી દયા ખાય જ નહિ. તે તારકો તો જ્ઞાનમાં જુએ તેમ જ વર્તે, એટલે આપણે તો તે તારકોની આજ્ઞા મુજબ જ ચાલવાનું. આથી જ કહે છે કે રુવે તેની દયા કરવી હોય તો પણ ક્ષણિક રોવા તરફ ન જોતાં એક વાર તો ચાલી નીકળી, જ્ઞાનીના માર્ગે ચાલી એવી છાયા નાખવી કે એ રોનારાં પણ કહે કે “અમે રોતાં હતાં તે ભૂલ હતી. અને એના પરિણામે અજ્ઞાન તથા મોહથી રોનારાં પણ પશ્ચાત્તાપ કરે તથા ધન્યવાદ આપતાં આવે. આ ક્યારે બને ? મોહરૂપ અગ્નિમાં ઘાસલેટના ડબ્બા છાંટનારની હયાતી ઓછી હોય તો !
શ્રી મરુદેવા માતા શ્રી ભરત મહારાજાને રોજ રોજ શ્રી ઋષભદેવજીના કષ્ટની વાતો સંભળાવતાં અને શ્રી ભરત મહારાજા સાંભળી લેતા, પણ એ દુઃખમાં વૃદ્ધિ થાય તેવું કશું જ કહેતા નહિ. ઊલટું એમ માનતા કે અવસર આવ્યે આ મોહનું ઔષધ કરીશ. આ રીતે તે માતાના રાગમાં રાગ ન પૂરતા, પણ આજની તો દશા જ કોઈ ભયંકર છે. આ વિષયમાં જે જે કહેવાનું છે, તે પ્રસંગે કહેવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org