SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 747 – - ૧ : ધૂતાધ્યનનો મંગળ પ્રારંભ - 51 -- - છે ! જન્મના સ્નેહી - સાથે હરનાર ફરનાર છતાં સ્વાર્થમાં વિક્ષેપ પડતાં અલગ પડતા સાંભળ્યા છે કે નહિ ? પાળી-પોષીને પ્રેમથી ઉછેરેલા બાળકને સ્વાર્થમાં વાંધો આવતાં બાપે લાત મારીને કાઢી મૂકતાં સાંભળ્યા છે કે નહિ ? બાપાજી બાપાજી કરનાર બાળકે સ્ત્રી ખાતર બાપાજીને બહાર કાઢી મૂક્યા સાંભળ્યા છે કે નહિ ? આ ધૂનન નહિ ? એ પણ ધૂનન જ છે. માત્ર એમાં હેતુ જ જુદો છે. પણ તમે છોડતા આવ્યા છો, એટલે તમને છોડવાનો અભ્યાસ છે માટે એ કઠિન નથી. એકથી અનેકવાર સંસારમાં પરસ્પર છૂટાપણું થતું આવ્યું છે, થાય છે અને થશે : જેમ ત્યાં ‘સ્વાર્થ સમજાય છે, તેમ આ ધૂનન માટે “પરમાર્થ' પણ સમજાવો જોઈએ. કર્મને આધીન બનીને, સ્વાર્થને આધીન બનીને અને વિષયને આધીન બનીને જેમ અત્યાર સુધી બધાને છોડ્યા, મોહની ખાતર છોડ્યા, અનંતીવાર અને અનંતાને છોડ્યા તો અનંતજ્ઞાનીઓની આજ્ઞા વિચારી તમારા આત્મા ખાતર તો છોડી જુઓ ! મને કે કમને, આયુષ્યને આધીન થઈને અનંતીવાર છોડ્યા, તો અનંતજ્ઞાની કહે છે તે મુજબ આત્માના ભલા ખાતર એક-બે વાર તો છોડો અને તે પછી જુઓ તો ખરા કે પેલા છોડ્યા એ સફળ કે આ છોડ્યા એ સફળ ? આનો તો અનુભવ કરો ! કર્મયોગે જવું તો પડશેને ? તો જવું પડે તે પહેલાં અનંતજ્ઞાનીના કહેવાથી છોડવામાં વાંધો શો ? જો છોડવા પડે તેવા ન હોત, સાથે જ આવવાના હોત, અગર છૂટું પડવાનું ન હોત, તો તો “સ્વજનધૂનન ની વાત જ્ઞાની કરત જ નહિ, પણ ઇચ્છાએ કે અનિચ્છાએ છોડવું તો પડશે જ, પછી તમે તેમને મૂકો કે તમને એ મૂકે. ગમે તે રીતે પણ મૂકવાનો ધંધો તો ચાલુ જ છે. કહે છે કે મૂકતાં રુવે છે માટે દયા આવે છે. શાસ્ત્ર કહે છે કે જો દયા જ આવતી હોય તો વિચારો કે, એકવાર બે-પાંચ રુવે એ ઠીક કે હરહંમેશ અનંતા રુવે એ ઠીક ? દયાળુઓનું ધ્યેય તો એજ હોય ને કે, રૂવે તે ઠીક નહિ ? તો જ્ઞાનીઓ કહે છે કે, બે-પાંચની દયા ખાતર અનંતાની દયા ન વેચો ! અનંતાને રોવરાવ્યા છે : હવે બે-પાંચની દયામાં મૂંઝાઈ ફરીથી પાછું બીજા અનંતાને રોવરાવવાનું પાપ ન વહોરો ! અનંતા સેતા મટતા હોય અને વર્તમાનમાં કદાચ બે-પાંચ રોતા હોય, તો વાણિજ્યની દૃષ્ટિએ પણ લાભાલાભ ક્યાં ? શું પાંચની ખાતર અનંતા રુવે એ સારું ? આવડત હશે તો એ પાંચ પણ રોતા બંધ થઈ જશે, એ પણ માર્ગે આવશે અને આત્મકલ્યાણ સાધશે, એટલે તમારી સાથે એનાથી પણ અનંતા રોતા બચશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy