________________
૬
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
કહેવાનું છે તે અને ‘ઉદ્દેશાર્થાધિકાર'માં તે અધ્યયનના ઉદ્દેશામાં શું શું કહેવાનું છે તે : આ બેમાંથી ‘અધ્યયનાર્થાધિકાર' તો પ્રથમ કહી આવ્યા અને ઉદ્દેશાર્થાધિકાર’ને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકાર મહર્ષિ શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા દોઢ ગાથાથી ફરમાવે છે કે
“पढमे नियगविहणणा, कम्माणं बितियए तइयगंमि । उवगरणसरीराणं, चउत्थए गारवतिगस्स ||१ ।। उवसग्गा-समाणय-1 -વિજ્ઞપ્તિ પંચમમિત્તે !”
“આ છઠ્ઠા ‘ધૂત’ નામના અધ્યયનના ઉદ્દેશા પાંચ છે : તેમાંના પ્રથમ ઉદ્દેશામાં ‘સ્વજનધૂન’નો અર્થાધિકાર છે : બીજા ઉદ્દેશામાં ‘કર્મધૂનન’નો અર્થાધિકાર છે : ત્રીજા ઉદ્દેશામાં ‘ઉપકરણ અને શરીરધૂનન’નો અધિકાર છે : ચોથા ઉદેશામાં ‘રસગૌરવ, ઋદ્ધિગારવ અને શાતાગાસ્વરૂપ ‘ગારવત્રિના ધૂનન’નો અર્થાધિકાર છે અને પાંચમા ઉદ્દેશામાં ‘ઉપસર્ગો તથા સન્માનોને કેવી રીતે સાધુઓએ કંપાવી નાખ્યાં' – તેનો અર્થાધિકાર છે.”
અર્થાત્ પહેલા ઉદ્દેશામાં સ્વજનોનું ધૂનન કઈ રીતે કરવું તેનું વર્ણન છે, બીજા ઉદ્દેશામાં કર્મોનું ધૂનન કઈ રીતે કરવું તેનું વિધાન છે, ત્રીજા ઉદ્દેશામાં ઉપકરણો અને શરીર ઉપરની મૂર્છાનું ધૂનન કઈ રીતે કરવું તેનું વર્ણન છે, ચોથા ઉદ્દેશામા ગા૨વત્રિકનું ધૂનન જે રીતે કરવાનું તેનું વર્ણન અને પાંચમા ઉદ્દેશામાં સાધુઓએ જે રીતે ઉપસર્ગોને અને સન્માનોને કંપાવ્યાં તેનું પ્રતિપાદન કરવામાં આવશે.
746
આ પાંચે પ્રકારના ધૂનનમાં ‘સ્વજનધૂનન’ પહેલું છે અને તે થયા વિના પછીનાં ધૂનનો થઈ શકતાં નથી, - એ કારણે ‘સ્વજનધૂનન' પહેલું મૂક્યું છે. વારુ, તમને એ કેવું લાગે છે ? સહેલું લાગે છે કે કરડું લાગે છે ? જ્ઞાનીની દૃષ્ટિએ બીજાં ધૂનનો કરતાં ‘સ્વજનધૂનન’ સહેલું લાગ્યું માટે પહેલું મૂક્યું : તે પણ જેને ન ગમે અને તે પણ જે ન કરે તે બાકીનાં બધાં શી રીતે કરે ? એકદમ બહારની વસ્તુ જેને મૂંઝવે તેને બીજી ન મૂંઝવે એ કેમ બને ? મુક્તિમાર્ગે જવાની ભાવનાવાળાએ પહેલું ક૨વા યોગ્ય તથા સુખે થાય તેવું ‘સ્વજનધૂનન’ છે. એ ન થાય ત્યાં સુધી બાકીનાં ધૂનનની આશા ફોગટ છે. ‘સ્વજનધૂનન’ પહેલું કેમ ? આત્માને એનો અભ્યાસ છે, અનંતાકાળથી અનંતી વખત આત્મા મને કે કમને એ કરતો આવ્યો છે, સ્વાર્થ માટે મરજી મુજબ પણ કરતો આવ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org