________________
745
– ૧ : ધૂતાધ્યનને મંગળ પ્રારંભ - 51 –
–
૫
છોડવામાં જ છે.” આ રીતે જ્ઞાની પુરુષો પોતાનો અનુભવ જ કહે છે. જગતભરના કલ્યાણના અર્થી અને બધાં જ પ્રાણી સુખી જ થાય એવું જ માત્ર ઇચ્છનાર મહાપુરુષો આ પુદ્ગલનો સંગ છોડવાનું કલ્યાણ માટે જ કહે છે : બીજો કોઈ જ ઇરાદો તે તારકોનો નથી. એ તારકો જાણે છે કે કોઈ પણ ભોગે સંગ છૂટે તો જ આત્માને અનંત સુખ પ્રાપ્ત થાય. વિચારો કે નરકતિર્યંચાદિ દુર્ગતિઓ સંગમાં રહે એને માટે કે સંગ તજે એને માટે ? લક્ષ્મી આવે તો હસવું અને જાય તો રોવું : ઇષ્ટ સંયોગે આનંદ અને વિયોગે શોક :' - આ બધું સંગમાં રહે એને માટે કે સંગ તજે એને માટે ? આધિ, વ્યાધિ ઉપાધિ સંગમાં પડેલાને આવે કે સંગ છોડ્યો એને આવે ? વિચારશો તો સમજાશે કે સંગ છોડવાથી જ આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળે અને પરિણામે દુર્ગતિ અટકે તથા અનંત સુખ પ્રાપ્ત થાય. - આ બધું આત્મા સાથે નિર્ણાત કરો : જ્ઞાનીએ તો નિર્ણત કર્યું જ છે : જ્ઞાનીએ તો એ જાણ્યું, એને જીવનમાં ઉતાર્યું. એનાથી પોતે સંપૂર્ણ લાભ લીધો અને તેથી જ યોગ્ય લાગ્યું માટે આપણી આગળ મૂક્યું છે. આથી જ સાચા સમ્યગ્દષ્ટિ આત્માને આમાં શંકા હોય જ નહિ. એને મન તો જ્ઞાની પુરુષોના કથન મુજબ “મોક્ષ” અને “સંયમ' એ બે જ ચીજ સારભૂત ભાસે અને બેની સાધના માટે “નિઃસંગતા' મેળવવી જોઈએ અને કર્મધૂનન' કરવું જ જોઈએ, - એમ એના અંતરમાં નિશ્ચિત જ હોય છે. આ દશા ન આવે ત્યાં સુધી સાચી ઉદારતા, ઉત્તમ પ્રકારની સદાચારશીલતા, સાચી સહિષ્ણુતા અને ઉત્તમ વિચારો પ્રાય ન જ આવે : આવે તોય ઢાળ પર પડેલી વૃષ્ટિની માફક સરી જાય : આખર એ તે કોરું ને કોરું ! હવે પાછા આવો મૂળ વસ્તુ ઉપર :
આપણે જોઈ ગયા કે “સમ્યગ્દષ્ટિ આત્માને આ લોકમાં સારભૂત વસ્તુ બે જ દેખાય : એક તો “સંયમ અને બીજી સંયમના ફળરૂપ “મોક્ષ.” હવે “સંયમ' સાધવા માટે “નિઃસંગતા'ની જરૂર છે અને મોક્ષ મેળવવા માટે કર્મધૂનન'ની જરૂર છે : અને એ જ બે વસ્તુના પ્રતિપાદન માટે આ છઠું “ધૂત' નામનું અધ્યયન છે. આ સંબંધથી આવેલા આ છઠ્ઠા અધ્યયનની વ્યાખ્યા કરવાનાં ઉપક્રમ, નિક્ષેપ, નય, અને નિગમ' - આ ચાર વારો છે. તેમાં પ્રથમના ઉપક્રમ દ્વારમાં “અર્થાધિકાર છે. “અર્થાધિકાર” બે પ્રકારનો છે : એક “અધ્યયનાર્થાધિકાર" અને બીજો “ઉદ્દેશાર્વાધિકાર' : “અધ્યયનાર્થાધિકાર' એટલે અધ્યયનમાં શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org