________________
-
-
-- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
---
704
આ નિસંગતા” અને “કર્મધૂનનનું પ્રતિપાદન કરતા આ છઠ્ઠા અધ્યયનમાં તો સંગમાત્રને છોડવાની જ વાત આવવાની છે. મા-બાપ વડીલ ગમે તે હોય પણ જો એ સંયમની સાધનામાં આડે આવે તો મુમુક્ષુ આત્માએ તેમને જરા પણ ખોટી રીતે આધીન નહિ થતાં એમનો પણ સંગ છોડીને ચાલી જ નીકળવાનું, આ છઠ્ઠા અધ્યયનમાં કહેવામાં આવશે.
શ્રી જિનેશ્વરદેવોનો અંતિમ આદર્શ અને ઉદ્દેશ બધા જ જીવોને “સંયમ' દ્વારા મુક્તિ માં લઈ જવાનો જ છે, માટે તે તારકોનાં ઉપદેશેલાં અને ગણધરદેવોથી ગુંથાએલાં આગમમાં સારરૂપે એ જ વાત આવવાની અને આથી જ કહેવાયું કે સમ્યગ્દષ્ટિ આત્માને બે જ ચીજ સારભૂત ભાસે : એક “મોક્ષ' અને બીજું “સંયમ' - અને તો જ આ છઠ્ઠા અધ્યયનમાં કહેલી વાત હાથમાં આવે. એને દુનિયાનું બીજું બધું જ અસાર લાગે.
છઠું અધ્યયન કહે છે કે “સંયમ' જોઈતું હોય તો નિઃસંગ બનો, નિઃસંગ બની સંયમ પાળો અને સંયમ વડે કર્મધૂનન કરી મુક્તિપદને પામો.
“સંયમનું સાધન નિઃસંગતા અને મુક્તિનું સાધન કર્મધૂનન ! “લોકસારમાં સાર તરીકે જો સંયમ જોયો તો નિઃસંગ બનો, પછી “સંયમ' પાળી તે દ્વારા ‘કર્મધૂનન કરીને “મુક્તિપદ પામો. છઠ્ઠા અધ્યયનમાં બે જ વાત કહેવાશે કે “સંગરહિત બનો અને કર્મધૂનન કરો.” સંગ છોડી સંયમ લો અને સંયમ દ્વારા થતા કર્મધૂનનથી મુક્તિ મેળવો, એ જ વાત વારંવાર આવશે.
પહેલાં તો આત્માને પૌલિક સંગ ખરાબ લાગવો જોઈએ ? ત્યાર પછી સંગરહિત બનવાનો પ્રયત્ન કરાય. દુનિયાના પદાર્થોની સોબત લાભદાયી નથી, એનો સંગ અસાર છે અને એ દુઃખમાત્રનું કારણ છે, - એમ અત્યાર સુધી સમજાવવામાં આવ્યું. હવે સ્પષ્ટ કહેવાય છે કે નિઃસાર ને નુકસાનકારક વસ્તુઓને મૂકો !
શાસ્ત્ર કહે છે કે “કઠિનતા તો સંગ રાખવામાં છે, પણ સંગ છોડવામાં નથી.” જ્ઞાની મહર્ષિઓને એવો અનુભવ થયો છે. સંગ છોડ્યા પછી ઉપાધિ આવતી હોય તો એ તારકો સંગ છોડવાનું કહેત જ નહિ. જ્ઞાની પુરુષો પણ કહે છે કે “એક વખત અમે પણ એવા હતા કે સંગ ન છોડવામાં મોજ માનતા, પણ સંગ છોડ્યો, સ્વાદ જોયો અને લાગ્યું કે સુખની ભાવનાવાળા સંગ છોડ્યા વિના સુખી થવાના જ નથી : માટે ખરું સુખ, ખરો આનંદ અને ખરી મજા સંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org