________________
7૩
- ૧ : ધૂતાધ્યનનો મંગળ પ્રારંભ - 51
-
૩
એટલે કે કર્મમાત્રનું ધૂનન કરવું તથા તે દ્વારા એકાંતિક, આત્યંતિક અને સંપૂર્ણ સુખના સ્થાનરૂપ મોક્ષને મેળવવો, એ જ આ છઠ્ઠા અધ્યયનનો ઉપદેશ છે.
આ વિશ્વના એકના એક જ ઉપકારી શ્રી જિનેશ્વરદેવના શાસનમાં “સંયમ' નિસંગને જ મળે અને મુક્તિ' જે કર્મમળથી સર્વથા રહિત થાય તેને જ મળે : જેને સંગરહિત બનવું ન પાલવે, તેને “સંયમ” સાથે મેળ ન ખાય. અને “સંયમ' વિના કર્મધૂનન થવું શક્ય નથી એ કારણે તો આત્માથી મુક્તિ ઘણી જ આવી છે. આ વાતોમાં જેને શંકા હોય તેનામાં સમ્યક્તની પણ ખામી જ છે એમ કહી શકાય. આ નિ:સંગતા” અને “કર્મધૂનન'ના અર્થી આત્માની, સંગ વધે તેની અને કર્મબંધ થાય તેવી કોઈ પણ કાર્યવાહીમાં અનુમોદના પણ કેમ જ હોય ? દુનિયાના કોઈ પણ પદાર્થ ઉપર મમતા તેનું નામ સંગ. એ કર્મધૂનન સંપૂર્ણ થાય તો જ મુક્તિ મળે : પણ સાધકની દૃષ્ટિએ એ “મુક્તિ' અને “સંયમ' એ બે સારરૂપ દેખાય તો જ એ બને ને ?
જે આત્માને “મુક્તિને બદલે સંસાર” તથા “સંયમને બદલે પૌગલિક વાસનાઓની તૃપ્તિ જ સારરૂપ દેખાય, તે આત્મામાં સમ્યક્ત કઈ રીતે આવે ? અને સમ્યક્ત વિના અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગના પ્રસંગે કલ્યાણની સાધનામાં રીતસર નહિ ટકાય, કલ્યાણની સાધનામાં એ રીતે નહિ ટકાય તો લોકવિજય’ નહિ થાય અને વિષય-કષાય નહિ જિતાય તો “અહિંસા' તો વેગળી જ છે. અને અહિંસા જો વેગળી હોય તો અહિંસા પરમો ધર્મ:' - એ વૃત્તિ તો આવે જ ક્યાંથી? સંપૂર્ણ રીતે ‘હિંસા પરમો ધર્મ:' સૂત્રને માનનારે તો આ બધું માનવું જ પડે. ન માને તો પછી “હિંસા પરમો ધર્મ:” - એ મોઢે કહેવાનું જ છે. અહિંસાને પરમ ધર્મ માનનારને “સંયમ' ન ગમે એ કેમ બને ? જેને શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશેલો “સંયમ ન ગમે તે “અહિંસાને હું પરમ ધર્મ માનું છું.” - એમ કઈ રીતે કહી શકે ? અજ્ઞાન લોક કહે છે તેમ અજ્ઞાનીઓ હિંસકને પણ અહિંસક તરીકે સંબોધી ‘અહિંસાનો પોકાર ભલે કરે, પણ તેને શ્રી જિનેશ્વરદેવે કહેલો અહિંસા ધર્મ કોઈ પણ રીતે માની શકાય તેમ નથી. આથી સ્પષ્ટ જ છે કે સમ્યગ્દષ્ટિ આત્માના હૃદયમાં બે વસ્તુ જ રમે ? એક “સંયમ અને બીજી સંયમના ફળરૂપ “મોક્ષ.” સંયમ હૃદયમાં રમે તો સંગ છોડવાની ભાવના આપોઆપ જ હૃદયમાં જાગે, કારણ કે “સંયમના અર્થીએ સંયમના ઘાતક સઘળા જ પદાર્થો છોડવા જોઈએ.” – એમ તે આપોઆપ સમજે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org